મેયરે બચાવ કરતા કહ્યું આવાસનો ફ્લેટ 7 વર્ષ પૂર્વ ડ્રો લાગ્યો
જામનગરમાં ખુદ મેયર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાનું મકાન પચાવી લીધું હોવાનું સામે આવ્યું છે મેયર બીનાબેન કોઠારી સામે આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ સત્યમ કોલોની આવાસ યોજના પોતાની માલિકાનું મકાન ધરાવે છે. સમગ્ર હકિકત બહાર આવ્યા બાદ વિવાદ થતા મેયર બીનાબેને આવાસ યોજનાના ફ્લેટને તાળા મારી દીધું હતા.
આવાસ યોજનાએ શહેરી ગરીબો માટેની યોજના
હાલ તો મેયરને આવાસ યોજનામાં મળેલા ફ્લેટને તાળા મારી દેવામાં આવ્યા છે પરતું સવાલ એ થાય છે કે ગરીબોના માટે બનાવવામાં આવતા આવતા આવાસના મકાનો પોતાના મળતીયોઓને કે લાગતા વળગતાઓને આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે મુખ્યમંત્રી આવાસ યોજનાએ શહેરી ગરીબો માટેની યોજના છે અને તેમાં પણ જે લોકો આર્થિક રીતે નબળા હોય અને ઓછી આવક ધરાવતાઓને આવાસના મકાનો ફાળવવામાં આવે છે.
જામનગર મેયર બીનાબેન કોઠારી સામે આક્ષેપ
LIG (Low Income Group)માટે વાર્ષિક મહત્તમ આવક 6 લાખ ( EWS Economic Weaker Section)માટે 3 લાખ વાર્ષિક મહત્તમ આવક મર્યાદિત હોય તેવા લોકોને મકાન ફાળવવામાં આવે છે ત્યારે મેયરને મકાન કેવી રીતે ફાળવવામાં આવ્યું તે પણ સવાલ એક સવાલ ઉઠી રહ્યો છે? કોંગ્રેસ દ્વારા પણ મેયર બીનાબેન કોઠારી સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વિપક્ષે વિરોધ નોંધાવી તેના રાજીનામાની માંગ કરી
જામનગરમાં વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબોના લાભો લાગતા વળગતાને આપી ગરીબોના લાભો છીનવી રહી છે. કોંગ્રેસે જામનગરના મેયર બીનાબેન કોઠારી સામે વિરોધ નોંધાવી તેના રાજીનામાની માંગ કરી છે તો સામે મેયર બીનાબેન કોઠારીએ પોતાના બચાવ કરતા કહ્યું છે કે આ ફ્લેટ મને ફ્લેટ 7 વર્ષ પૂર્વ ડ્રો લાગ્યો હતો અને ચૂંટણીમાં ઉમેદવારી ભરતી વખતે સોગંધનામામાં તેનો ઉલ્લેખ કર્યો હતો.