કર્ણાટકમાં રાજકીય નાટક વચ્ચે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ કોગ્રેસ વિધાનસભા સ્પીકરના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર છે અને તેઓ કોંગ્રેસના જ નેતા છે.
કોંગ્રેસને આશંકા છે કે ભાજપ બજેટ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોગ્રેસને એ વાતની પણ આશંકા છે કે બજેટ બીલ પાસ કરાવવાવા માટે ભાજપ વોટ ડિવીઝનનની માગ ના કરે. જો બજેટ બીલ રદ થાય તો એ જેડીએસ કોંગ્રેસ સરકાર માટે ખૂબ શરમજનક વાત સાબિત થશે.
બજેટ સત્ર માટે વ્હિપ જાહેર થવાની પણ આશંકા છે. જેથી કાયદાનું ઉલ્લંઘન કરનારા ધારાસભ્યો વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કાર્યવાહી કરી શકાય. આ સિવાય કોંગ્રેસને ક્રોસ વોટિંગની પણ ભારે ચિંતા સતાવી રહી છે.
સુત્રોનું માનીએ તો કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહી છે. જો કે જેડીએસ - કોંગ્રેસ પાસે 118 ધારાસભ્ય છે અને તેમાંથી ચાર ધારાસભ્ય બળવાખોર હોવાનું જણવા મળ્યુ છે.
જ્યારે એક ધારાસભ્ય ગણેશ કેટલાક દિવસથી સસ્પેન્ડ છે. કોંગ્રેસને આ પાંચ ધારાસભ્યોના વોટની આશા પણ નથી. જેથી કોંગ્રેસ પાસે હાલ 113નું સંખ્યાબળ કહી શકાય. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા કરતા ઓછી છે કારણકે કર્ણાટકની વિધાનસભામાં 226 ધારાસભ્ય છે.
સરકાર ચલાવવા માટે જેડીએસ કોંગ્રેસને એક સંખ્યા વધુ જોઈએ છે. જો આ સમાચર વચ્ચે એક અહેવાલ મુજબ આગામી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બેઠક યોજાઇ શકે છે.