પહેલા ઝારખંડ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ચૂંટણી રણનીતિની સમીક્ષા કરી રહેલી ભાજપે રાજ્યોમાં હવે 50 ટકા વોટ હાંસલ કરવા માટે નવી રણનીતિ પર વિચાર કરી રહી છે. આ માટે લોકપ્રિય સ્થાનીય નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને સમાન વિચારધારા વાળી સ્થાનીય પાર્ટીઓ સાથે ગઠબંધન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ઝારખંડમાં JVM (P) ના નેતા બાબૂલાલ મરાંડીની બીજેપીમાં વાપસી આ નજરે જોવામાં આવી રહી છે.
BJPને એક પછી એક રાજ્યોની ચૂંટણીઓમાં મળી રહી છે હાર
ભાજપ રાજ્યોમાં 50 ટકા વોટ હાંસલ કરવા માટે નવી રણનીતિ પર વિચાર કરી રહી છે
ઝારખંડમાં JVM (P) ના નેતા બાબૂલાલ મરાંડીની બીજેપીમાં વાપસી થઇ છે
રાજ્યોમાં મજબૂત ચહેરાઓની કમીને કારણે નુકશાન
દિલ્હીમાં ચૂંટણી હાર બાદ યોજાયેલી સમીક્ષા બેઠકોથી મળેલા સંકેતો મુજબ બીજેપી નેતૃત્વ ભવિષ્યમાં પ્રદેશોમાં યોજાનારી ચૂંટણીઓ, બને ત્યાં સુધી સંભવ હોય તો મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાને પ્રાથમિકતા આપશે. ગત સપ્તાહ અહીં યોજાયેલી સમીક્ષા બેઠકોમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે ઝારખંડ અને દિલ્હીમાં પાર્ટીને સમર્થન ન મળવાને કારણ તેની પાસે લોકપ્રિય મુખ્યમંત્રી પદનો ઉમેદવાર ન હોવા હતું.
ઝારખંડમાં રઘુવર દાસના નેતૃત્વમાં પાર્ટીએ ચૂંટણી લડી હતી. તેમની વિરુદ્ધ કાર્યકર્તાઓમાં નારાજગીના સમાચાર આલાકમાનને મળી હતી. દિલ્હીમાં પણ બીજેપીએ કોઇ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર નહોતો કર્યો.
લોકસભા ચૂંટણીમાં 17 રાજ્યોમાં NDAને મળ્યા હતા 50 % વોટ
બીજેપી સૂત્રો મુજબ, નેતૃત્વની ચિંતા લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળી રહેલા વોટ શૅરના અંતરથી વધી છે. ગત બે લોકસભા ચૂંટણીમાં બીજેપીને ગઠબંધનની સહયોગી પાર્ટીઓ દ્વારા 17 રાજ્યોમાં 50 ટકા જેટલા વોટ મળ્યા પરંતુ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તે ઘણી પાછળ રહી. બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં બીજેપીનો સામનો સ્થાનીય પાર્ટીઓ સામે છે.
50 ટકાથી વધારે વોટ મેળવવાનું લક્ષ્ય
પાર્ટીના એક રણનીતિકારે કહ્યું, તેને ધ્યાનમાં રાખીને આપણે જોવુ પડશે કે આપણી રણનીતિ 50 ટકાથી વધારે વોટ હાંસલ કરવાની હોય, કેમકે સ્થાનિય પાર્ટી જો કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડે છે તો વધારે સંભાવના છે કે તેમને મળનાર વોટ વધારે હોય. બીજેપીના જ એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે સમીક્ષા કરી રહ્યા છીએ. અમારે દેશભરમાં 51 ટકા વોટ શૅર સુધી જવા માટે યોજનાબદ્ધ રીતે આગળ વધવાનું છે. એ માટે પ્રદેશ નેતૃત્વને પ્રોત્સાહન આપવાની સાથે જ સ્થાનીય પાર્ટીઓ સાથે ગઠબંધનનો વિકલ્પ પાર્ટીની સામે છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીને 15 રાજ્યોમાં મળ્યા હતા 50 ટકા વોટ
2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં બીજેપી (BJP) ને 15 રાજ્યોમાં 50 ટકાથી વધારે વોટ મળ્યા, જ્યારે બિહાર અને મહારાષ્ટ્રમાં તે ક્રમશ: 52 અને 50 ટકા વોટ પોતાના સહયોગીઓ સાથે હાંસલ કરવામાં સફળ રહી. જોકે બાદમાં હરિયાણા અને ઝારખંડમાં બહુમતી હાંસલ ન કરી શકી. હરિયાણામાં 36 ટકા, ઝારખંડમાં 33.37 ટકા, દિલ્હીમાં 56.68 ટકા વોટ મળ્યા હતા. હાલમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ ઘટીને 38.5 ટકા રહી ગયો.
લોકસભા અને રાજ્યોની ચૂંટણી વોટિંગની અલગ-અલગ પેટર્ન
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS) ના ડિરેક્ટર સંજય કુમારનું માનવું છે કે મતદારો હવે દેશ અને રાજ્યના આધારે અલગ-અલગ વિચાર રાખી મતદાન કરે છે. તેને વર્ષ 2019માં ઓરિસ્સામાં યોજાયેલી ચૂંટણી દ્વારા સારી રીતે સમજી શકશો. વર્ષ 2019માં ઓરિસ્સામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થઇ હતી. પરંતુ જનતાએ રાજ્ય સરકાર માટે BJDને સમર્થન આપ્યું અને કેન્દ્રમાં સત્તા માટે બીજેપીને સમર્થન આપ્યું હતું.
PM મોદીના ચહેરાના આધારે જીતવુ મુશ્કેલ
સંજય કુમારે કહ્યું કે બીજેપીએ રાજ્યોની ચૂંટણીમાં લોકપ્રિય ચહેરો ન બતાવ્યો જેના કારણે તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. તેઓએ કહ્યું કે, તેમા કોઇ શંકા નથી કે પીએમ મોદી લોકપ્રિય નેતા છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તેમની મર્યાદાઓ છે. દિલ્હી બાદ હવે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની જેમ પ.બંગાળને લઇને પણ પાર્ટીની રણનીતિ સ્પષ્ટ નથી.