સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.
સાંસદ મનસુખ વસાવા એ ભાજપમાંથી આપ્યું રાજીનામુ આપ્યું
પોતાની ભૂલને કારણે પાર્ટીને નુકસાન ન પહોંચે તેવું કારણ આપ્યું
પોતે આપેલું રાજીનામનો લેખિત પત્ર સોસીયલ મીડિયા પણ કર્યો વાઇરલ
મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patilને લેખિતમાં રાજીનામું આપ્યું છે. અને એટલું જ નહીં પણ આ રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.
કેમ આપ્યું રાજીનામું?
રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.
ભાજપમાં થઈ ગઈ દોડધામ
સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
સાંસદ તરીકે પણ રાજીનામું આપીશ : વસાવા
પ્રદેશ પ્રમુખ C R પાટીલને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે સાંસદ તરીકે પણ આગામી સમયમાં રાજીનામું આપશે. આવામાં કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મનસુખ વસાવાનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો સાબિત થયો છે.
અમે નારાજગી દૂર કરી દઈશું : C R પાટીલ
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાને પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલે કહ્યું, કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર નારાજગી હતી જેથી રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. અમને ગર્વ છે કે આવા નેતા પક્ષમાં છે.
રાજીનામાનું શું હોઈ શકે ગણિત?
ભાજપના દિગ્ગજ સાંસદ ગણાતા મનસુખ વસાવાના રાજીનામાનું ગણિત સમજીએ તો મુખ્ય કારણ ઇકો સેન્સેટિવ ઝોન હોઈ શકે છે. તેમણે કેવિડયા ખાતે ઇકો સેન્સેટિવ ઝોનને લઇ અનેકવાર અવાજ ઉઠાવ્યો હતો. કેવડિયાના 121 ગામો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવાના પ્લાન સામે તેમણે અનેક વખત વિરોધ નોંધાવ્યો હતો. આ ઇકો સેન્સેટિવ ઝોનમાં ગામડાઓને સમાવાતા આદિવાસી સમુદાયમાં ભારે રોષ હતો. તેઓ પહેલેથી કહેતા આવ્યા છે કે મારી રાજનીતિ માત્રને માત્ર મારા આદિવાસી સમુદાય માટે છે.
મનસુખ વસાવા આખા બોલા નેતા તરીકે જાણીતા છે. તેઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક વખત ભાજપ સરકાર સામે નારાજગી દર્શાવી છે. તેમણે પોતાના વિસ્તારનો વિકાસ થતો નથી તેવા પણ તેમણે અનેક વખતે સરકાર પર આક્ષેપો કર્યા છે.