લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પછી ભારતીય જનતા પાર્ટીને પણ ઘોષણાપત્રની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા અને પાર્ટીના સંસદીય બોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં પાર્ટીએ દિલ્હીમાં ઘોષણાપત્રની જાહેરાત કરી. જાણીએ કઇ પાર્ટીના ઘોષણાપત્રમાં શુ સારુ છે...
ભાજપે ખેડૂતોના મુદ્દા પર ઘોષણાપત્રમાં કહ્યુ કે, ''ખેડૂતોની આવક બેગણી કરવા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવશે. દેશની તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો યોજનાનો લાભ મળશે અને નાના ખેડૂતોની સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શનની સુવિધા આપવામાં આવશે.'' પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધા દર વર્ષે 6000 રૂપિયા આવશે.
રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા પર ભાજપે જાહેરાત કરી કે, ''અમારી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માત્ર આપણા રાષ્ટ્રીય સુરક્ષા વિષયો દ્વારા નિર્દેશિત હશે. આંતકવાદ અને ઉગ્રવાદને વિરુદ્ઘ ઝીરો ટોલેરન્સ નીતિને દ્દઢતાથી જારી કરવામાં આવશે. સુરક્ષા બળો માટે આતંકવાદીઓનો સામનો કરવા માટે ફ્રી હેન્ડ નીતિ જારી કરવામાં આવશે.''
નવા ભારત માટે ભાજપે જાહેરાત કરતા કહ્યુ કે, આગામી પાંચ વર્ષમાં દેશમાં 60,000 કિમીના હાઈવે બનાવાશે. નેશનલ હાઇવે લંબાઇને 2022 સુધીમાં બમણી કરાશે. ભારતમાલા પ્રોજેક્ટના ફેઝ 1ને પૂરો કરાશે અને ભારતમાલા 2.0 પણ શરૂ કરાશે. આ સિવાય 2022 સુધીમાં તમામ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં કન્વર્ટ કરવી અને તેનુ ઇલેક્ટ્રફિકેશન કરવુ, વંદે માતરમ એક્સપ્રેસ અન્ય સ્થળોએ શરૂ કરવી. તમામ સ્ટેશનો પર 2022 સુધીમાં WIFIની સુવિધા અપાશે. દેશમાં હાલમાં 101 એરપોર્ટ છે, આગામી 5 વર્ષના સમયમાં સમયમાં બમણા કરી દેવામાં આવશે.
આ સિવાય ભાજપે આરોગ્યને લઇને જાહેરાત કરતા કહ્યુ કે, 10.74 કરોડ કુટુંબોને આયુષ્યમાન ભારત યોજનામાં આવરી લીધા બાદ દેશમાં 2022 સુધીમાં 1.50 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખોલાશે. 2024 સુધીમાં પીપીપી ધોરણે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ અને ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. 2022 સુધીમાં જ આ પ્રકારની 75 મેડિકલ કોલેજો શરુ કરી દેવાશે. આગામી પાંચ વર્ષમાં MBBSની 18000 જ્યારે પીજી મેડિકલની 12000 બેઠકો વધારાશે.
તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યુ કે, વર્ષ 2030 સુધી ગરીબીનુ દૂર કરી દેવા માટે કોંગ્રેસ ન્યૂનતમ આવક યોજનાની શરૂઆત કરશે, ભારતની 20% વધારે ગરીબને દર વર્ષે 72000 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસનો લક્ષ્ય હશે કે ''કોઇ પણ પરિવાર પાછળ ના રહી જાય.''
કોંગ્રેસ ટેક્સના મામલામાં કહ્યુ કે, ''GST 2.0 યુગ તમામ વસ્તુઓ તથા સેવાઓ પર એકસમાન, સીમિત અને આદર્શ માપદંડ અનુસાર હશે. GST 2.0 નવી વ્યવસ્થા અને રોજગારી આપીને વિકાસની ગતિ વધારાશે.'' આ સાથે એમએસએમઇની લોન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય તથા ક્ષેત્રીય સ્તર પર નવા સંસ્થાનો (નાની બેંકો)ની સ્થાપના કરવા માટે પ્રોત્સાહિત કરાશે. જેથી એમએસએમઇની લોન ઉપલબ્ધ કરાવી શકાય.
કોંગ્રેસે આંતરિક સુરક્ષા માટે કહ્યુ કે, કોંગ્રેસ વચન આપે છે કે તે સુરક્ષાની સ્થિતિ પર સર્તક રીતે નજર રાખશે અને ભારતના તમામ નાગરિક અને મુલાકાતીને સુરક્ષા ભાવના રાખવા માટે અને કાયદા વ્યવસ્થા રાખવા માટે, તમામ સંભવ પ્રયાસ કરશે. ત્યારે વિદેશન નીતિ પર કહ્યુ કે, કોંગ્રેસ દુનિયાના કોઇ પણ ભાગમાં આતંકવાદનો વિરોધ કરશે અને આતંકવાદી ઘટનાઓ અને સીમાપાર આંતકવાદને સમાપ્ત કરવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરવાનુ વચન આપશે.
કોંગ્રેસે શહીદોને લઇને કહ્યુ કે, કોંગ્રેસ શહીદોના પરિવારને વળતર માટે નીતિ તૈયાર કરવા અને લાગૂ કરવા માટે વચન આપે છે. આ નવી નીતિમાં પૂર્ણ વેતન અને ભથ્થા શામેલ થશે, બાળકોના શિક્ષણ માટે ધન અને શહિદ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની તક આપશે.
મહિલાઓના મુદ્દા પર કોંગ્રેસે કહ્યુ કે, કોંગ્રેસ 17મી, લોકસભાના પહેલા સત્રમાં અને સાથે જ રાજ્યસભામાં, સંવિધાન સંશોધન બિલ પાસ કરાવી, લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામત આપશે.