આ વખતે ભાજપનું સ્ટેજ 2014ની સરખામણીએ સમગ્ર રીતે બદલાઇ ગયું હતું, સ્ટેજ પર ના લાલ કૃષ્ણ અડવાણી જોવા મળ્યા કે ના મુરલી મનોહર જોશી. માત્ર સ્ટેજમાં જ નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના સંકલ્પ પત્રમાં પણ બદલાવ જોવા મળ્યો.
લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સંકલ્પ પત્ર જારી કર્યો છે. ભાજપ કાર્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, સંકલ્પ પત્ર સમિતિના પ્રમુખ રાજનાથ સિંહે વિઝન ડોક્યૂમેન્ટ જારી કર્યા. આ વખતે ભાજપનું સ્ટેજ 2014ની સરખામણીએ સમગ્ર રીતે બદલાઇ ગયું હતું, સ્ટેજ પર ના લાલ કૃષ્ણ અડવાણી જોવા મળ્યા કે ના મુરલી મનોહર જોશી. માત્ર સ્ટેજમાં જ નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના સંકલ્પ પત્રમાં પણ બદલાવ જોવા મળ્યો.
સ્ટેજ પર કોન કોન હતું હાજર...?
સોમવારે ભાજપ મુખ્યાલય સંકલ્પ પત્ર જારી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, નાણા મંત્રી અરુણ જેટલી, સંગઠન મંત્રી રામલાલ અને કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગહેલોત હાજર હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કાર્યક્રમમાં સામેલ થવાનું હતું, પરંતુ પોતાના વિસ્તારમાં પ્રચાર કરવાના કારણે તેઓ હાજરી આપી શક્યા નહીં.
2014થી કેટલું બદલાયું સ્ટેજ?
જો પાંચ વર્ષ પહેલાનું સ્ટેજ જોવામાં આવે તો ત્યારે સંકલ્પ પત્ર જારી કરતી વખતે લાલકૉષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રવિશંકર પ્રસાદ, જેપી નડ્ડા પણ હાજર હતા. જે આ વર્ષે નજરે આવ્યા નહીં.
સ્ટેજની સાથે કવર પણ બદલાઇ ગયું
આ વખતે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રનું કવર માત્રને માત્ર નરેન્દ્ર મોદીથી ભરેલું છે. એટલે કે સંકલ્પ પત્ર પર માત્ર પ્રધાનમંત્રીનો ફોટો છે. સ્વાભાવિક છે ભાજપ નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટણીમાં જઇ રહી છે. ભાજપના સંકલ્પ પભના આ કવર પેજને કોંગ્રેસે પણ એક મુદ્દો બનાવ્યો છે. જો કે સંકલ્પ પત્રના સૌથી પાછળના પેજ પર શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીનો ફોટો છે.
ગત વર્ષે કેવું હતું કવર પેજ
ભાજપના 2014ના મેનિફેસ્ટોને જોઇએ તો એમાં ત્યારનું પૂરું નેતૃત્વ સામેલ હતું. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ સૌથી ઉપર અને ત્યારબાદ નરેન્દ્ર મોદી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને રમન સિંહનો ફોટો સામેલ હતો.
સ્વાભાવિક છે ત્યારે ભાજપના ત્યારના ભાજપ શઆસિત મુખ્યમંત્રીઓને સામેલ કર્યા હતા. જો કે આ વખતે એમાંથી કોઇમો પણ ફોટો જોવા મળી રહ્યો નથી.
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત પાર્ટીના 75 પ્લસના નેતાઓને ટિકીટ આપી નથી. આ કારણથી અડવાણી, જોશી જેવા વરિષ્ઠ નેચા પાર્ટીથી નારાજ હતા.