ભાજપ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે લાંબી બિમારી બાદ એમ્સમાં નિધન થઇ ગયું. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમના નિધન પર એક વીડિયો તૈયાર કર્યો છે. 4 મીનિટ 36 સેકન્ડની આ વીડિયોમાં અરુણ જેટલીની લાઇફની દરેક પહેલૂને દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભાજપ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબી બિમારી બાદ અરુણ જેટલીએ શનિવારે બપોરે એમ્સમાં નિધન થઇ ગયું. અરુણ જેટલી ભાજપના મોટા નેતા હતા, સાથે સાથે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલોમાં સામેલ હતા. અરુણ જેટલી જ્યારે લોકસભામાં બોલતા હતા ત્યારે એમને સાંભળનાર વિપક્ષી દળના નેતા પણ એમના કાયલ થઇ જતા હતા. અરુણ જેટલી એક પ્રખર વક્તા હતા.
ભારતીય જનતા પાર્ટીએ એમના નિધન પર એક વીડિયો તૈયાર કર્યો છે, જેમા તેમનું સંઘની સાથે જોડાવવાથી લઇને નાણામંત્રી બનવા સુધીની સફર દેખાડવામાં આવી છે. આ વીડિયોને ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
प्रखर वक्ता, विख्यात विचारक एवं भाजपा के वरिष्ठ नेता श्री अरुण जेटली जी को भाजपा परिवार की ओर से भावभीनी श्रद्धांजलि।
4 મીનિટ 36 સેકન્ડની આ વીડિયોમાં અરુણ જેટલીની લાઇફની દરેક પહેલૂને દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લોકસભામાં એમના ભાષણથી લઇને કોઇ પણ મુદ્દા પર એમના દ્રષ્ટિકોણને દેખાડવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતા પહેલા ભાજપે ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યો હતો કે ભારતે આજે એક મહત્વના સાંસદ ગુમાવ્યા છે. દેશની સુપ્રીમ કોર્ટે એક વરિષ્ઠ વકીલ ગુમાવ્યા છે અને ભાજપે પોતાના યશસ્વી નેતાઓમાંથી એક નેતા ગુમાવ્યા છે.પરમાત્માને પ્રાર્થના છે કે એમની આત્માને શાંતિ આપે.
નોંધનીય છે કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની લાંબી બિમારી બાદ શનિવાર સવારે દિલ્હીની એમ્સમાં 66 વર્।ની વયે નિધન થઇ ગયું હતું. અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં છાતીમાં ઇન્ફેક્શન અને શ્વાસ લેવાની સમસ્યાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરના પ્રયત્નો છતાં એમનું સ્વાસ્થ્ય સતત બગડતું રહ્યું અને બાદમાં લાઇવ સપોર્ટ સિસ્ટમ પર રાખવા પડ્યા હતા. નિધન બાદ જેટલીના પાર્થિવ શરીરને દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત એમના ઘરે લઇ જવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત વિવિધ નેતાઓએ એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ અરુણ જેટલીના પત્ની સંગીતા જેટલીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમને જણાવ્યું છે કે, તમારા પતિના નિધનનું સાંભળીને ખૂબ જ દુખી છું. જેટલી જી એવા વ્યક્તિ હતા જેમને દરેક તબક્કામાં મિત્ર અને ચાહકો હતા. એમને કહ્યું, 'કેબિનેટ મંત્રી, રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે એમની બોદ્ધિક ક્ષમતા, યોગ્યતા અને સંવાદ કૌશવ સર્વાવિદિત છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, જેટલી જી એ બિમારીથી છેલ્લા શ્વાસ સુધી લડાઇ લડી.'