ભાજપના 25 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓ અંદરખાને અમારી સાથે છે તે અંગેનો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ મોટો દાવો કર્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનો મોટો દાવો
જયનારાણય વ્યાસ ખુલીને સામે આવ્યા છે-આલોક શર્મા
25 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓ અમારી સાથે છે: આલોક શર્મા
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જયનારાયણ વ્યાસ મામલે મોટો દાવો કર્યો છે. આલોક શર્માએ કહ્યું હતું કે જય નારાણય વ્યાસ ખુલ્લીને અમારી સામે આવ્યા છે. જ્યાંરે બીજા ભાજપના નેતાઑ ખાનગીમાં સમર્થન કરતા હોવાનું જણાવ્યું છે. વધુમાં 25 ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓની ટીમ અંદરખાને મદદ કરતી હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહિ ભાજપના ગઢમાં પણ કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન કરે છે. વધુમાં આલોક શર્માએ કહ્યું કે આ અંગે નામ સાથેનું લિસ્ટ પણ અમારી પાસે છે.
સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્યનું કોંગ્રેસ ઉમેદવારને સમર્થન
બીજી તરફ સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારને ખુલ્લુ સમર્થન આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને ખુલ્લો ટેકો આપ્યો છે. મહત્વનું છે કે વામૈયા ગામે સભામાં ચંદનજી ઠાકોરને આશીર્વાદ પણ આપ્યા હતા. આ ઉપરાંત જંગી મેદની વચ્ચે ચંદનજીને જીત માટે જયનારાયણ વ્યાસે હાર પણ પહેરાવ્યો હતો. હાર પહેરાવી ચંદનજીને જીત અપાવવાની જવાબદારી પણ માથે ઓઢી છે અને ચંદનજીને 8 ડિસેમ્બર બાદના ધારાસભ્ય ગણાવ્યા હતા.