અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદથી ઠાકોર સેનામાં પણ વિખવાદ થયો છે. ઠાકોર સેનામાં પણ હવે બે ભાગ પડી ગયા છે. મહેસાણા અને ઊંઝામાં ઠાકોર સેના કોંગ્રેસને ટેકો કરી રહી છે.
અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદથી ઠાકોર સેનામાં પણ વિખવાદ થયો છે. ઠાકોર સેનામાં પણ હવે બે ભાગ પડી ગયા છે. મહેસાણા અને ઊંઝામાં ઠાકોર સેના કોંગ્રેસને ટેકો કરી રહી છે.
તો બીજી તરફ બહુચરાજીમાં ભરત ઠાકોરના નજીકના અને તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ દશરથ ઠાકોર અને જીલ્લા પંચાયતના સદસ્ય મધુબેનના પતિ ભાજપમાં જોડાઈ ગયા છે. આ અંગે પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલે કહ્યું કે, ઠાકોર સમાજ ભાજપની સાથે છે. જેનાથી ભાજપને જરૂર લાભ થશે.
તો બીજી તરફ બેચરાજીમાં પૂર્વ ગૃહપ્રધાને પાર પાડેલા ઓપરેશન બાદ હવે બેચરાજી ઠાકોર સેના ભાજપને ટેકો જાહેર કરી રહી છે. જેને લઈને ઠાકોર સેનામાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહિં તે તો દૂરની વાત છે પરંતુ, તેના અમુક નિર્ણયની અસર ઠાકોર સેના ઉપર ચોક્કસ પડી છે. જેનો ફાયદો બીજેપીને ચોક્કસ થઇ રહ્યો છે.
પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલ બેચરાજી બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા. અને કોંગ્રેસના ભરતજી ઠાકોર જીત્યા હતા. હવે ભરતજી ઠાકોરના નજીકના અને અંગત તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ દશરથજી ઠાકોર અને જીલ્લા પંચાયતના ચાલુ સદસ્ય મધુબેનના પતિ ભાજપમાં જોડાઈ ગયા છે.
આગામી ૨૦ એપ્રિલે યોજાનાર કાર્યક્રમમાં ઠાકોર સમાજને મોટી સંખ્યામાં ભાજપમાં જોડવાની તૈયારી ચાલી રહી છે. અને પૂર્વ ગૃહ પ્રધાન જે આ બેઠક પરથી હાર્યા હતા તે હવે બેચરાજીમાંથી કોંગ્રેસને નીસ્તોનાબુદ કરવાની વાત કરી રહ્યા છે.