રાજ્યમાં મગફળી કૌભાંડના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં ગેરરીતિ મામલે અને મગફળીના ખરીદીને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ છે. 1600 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કર્યા હોવાની વાત કરી છે.
જયેશ રાદડિયાનું નિવેદન
2,400 કરોડની મગફળી ખરીદી
1,600 કરોડ ચૂકવણી પણ કરી
મગફળી મુદ્દે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, 2,400 કરોડની મગફળી સરકાર ખરીદી છે. 1,600 કરો નાણા ખેડૂતોના ખાતમાં જમા કરાવ્યા છે. રાજ્ય સરકારે વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે.
ભેંસાણમાં આક્ષેપ મુદે કોઈનો માલ ન હોતોઃ રાદડિયા
જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે ત્યારે તપાસ પૂર્ણ થયા પહેલા જ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ક્લિનચીટ આપી દીધી છે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, ભેંસાણમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે જે ખેડૂતની મગફળી હતી તેનું નિવેદન લેવાઈ ગયું છે અને કોઈ ગેરરીતિ નથી. ખેડૂતના નિવેદન પણ લેવાયા અને ખેડૂતે પણ કબૂલાત કરી છે. ભેસાણમાં કોઈનો માલ ન હોતો.
જોકે સવાલ એ થાય છે કે મગફળીમાં ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે તો પછી જયેશ રાદડિયા કઈ રીતે ક્લિનચીટ આપી શકે. શા માટે તેમણે તપાસ પૂર્ણ થયા પહેલા ક્લિનચીટ આપી છે. કયા તથ્યોને આધારે ક્લિનચીટ આપી છે. જો તપાસ રિપોર્ટ પહેલા જ પ્રધાન ક્લિનચીટ આપી દે તો પછી તપાસનો શું અર્થ. શું માત્ર દેખાડા પૂરતી તપાસ થઈ રહી છે. તપાસમાં સત્ય સામે આવશે કે પછી ભીનું સંકેલાઈ જશે.