ભાજપના નેતાઓ પર ચૂંટણીના ફંડને લઈ ઘણા બધા આરોપો લાગ્યા છે. ત્યાંની સ્થાનિક કમિટી અને એક ખાસ પેનલ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ભાજપના નેતાઓ દ્વારા હવાલા, લૂંટફાટ અને બ્લેકમેઈલ જેવા અપરાધો કરવામાં આવી રહ્યા છે
PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જ આ રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા
લૂંટના મામલામાં હાલ ત્યાંની પોલીસ ભાજપના નેતાઓની તપાસ કરી રહી
ભાજપના નેતાઓ દ્વારા હવાલા, લૂંટફાટ અને બ્લેકમેઈલ જેવા અપરાધો કરવામાં આવી રહ્યા છે
કેરળમાં ભાજપના નેતાઓ દ્વારા કાળા કામો કરવામ આવે છે તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા હવાલા, લૂંટફાટ અને બ્લેકમેઈલ જેવા અપરાધો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા કેન્દ્રમાંથી નેતૃત્વ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલાની તપાસ કરશે અને ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવેલ ફંડની તમામ માહિતી ભાજપ હાઇ કમાન્ડને આપશે. આ સભ્યોમાં દિલ્હી મેટ્રો રેલ કોરોરેશનના પૂર્વ ચીફ શ્રી ધરણ પણ છે.
PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જ આ રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા
આ પેનલમાં શ્રી ધરણ સાથે સાથે આંનદ બોસ અને જેકબ થોમસ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જ આ રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પાર્ટી હાઇકમાંડે ભાજપના નેતાઓને ચૂંટણી પહેલા મોકલેલ દરેક ફંડ વિશેની બધી જ માહિતી એકઠી કરીને એક રિપોર્ટ આપવાનું કહ્યું છે. થોમસ અને શ્રીધરન એપ્રિલમાં જ ચૂંટણી લડ્યા હતા. તેઓ હમણાં જ પાર્ટીના સભ્ય બન્યા છે. તેથી તેઓ એકદમ ઈમાનદારી પૂર્વક આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
લૂંટના મામલામાં હાલ ત્યાંની પોલીસ ભાજપના નેતાઓની તપાસ કરી રહી
કેરળમાં હાઇવે પર 3.5 કરોડ રૂપિયાની લૂંટના મામલામાં હાલ ત્યાંની પોલીસ ભાજપના નેતાઓની તપાસ કરી રહી છે. કારણકે આ લૂંટ વિધાનસભની ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ થઈ હતી. તેથી ત્યાંનાં સત્તારૂઢ વામ મોરચા દ્વારા જ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણીનું ફંડ ભેગું કરવા માટે થઈને ત્યાંનાં ભાજપના નેતાઓ દ્વારા જ આ લૂંટ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ સાથે સાથે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કારણકે ત્યાંના એક વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો હતો જે પાર્ટી પ્રમુખ નેતા સુરેન્દ્રન દ્વારા ભાજપમાં સામેલ થવા માટે રૂપિયા 10 કરોડની માંગણી કરી હતી પણ છેલ્લે 10 લાખ રૂપિયામાં તેઓ માની ગયા હતા.