2015થી 2022 સુધીમાં કેજરીવાલે દિલ્લીની એક પણ સ્કૂલની મુલાકાત ન લીધી હોવાનો ભાજપ નેતા યજ્ઞેશ દવેનો આક્ષેપ
AAP પર ભાજપનો પ્રહાર
ભાજપ નેતા યજ્ઞેશ દવેનું ટ્વિટ
"કેજરીવાલે કોઇ વિદ્યાર્થી સાથે સંવાદ નથી કર્યો"
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપ દિલ્હીનું શિક્ષણ મોડલ રજૂ કરી રહી છે અને ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલો ઊભા કરી રહી છે. સામે ભાજપ પણ પાછી પાની કરે તેમ નથી. ગુજરાત ભાજપનું સોશિયલ મીડિયા પણ કેજરીવાલના આરોપોને કાઉંન્ટર કરી રહ્યું છે. તેવામાં ભાજપ નેતા યજ્ઞેશ દવેએ RTI ની માહિતી મૂકી કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે.
કેજરીવાલ ગુજરાત આવી જુઠ્ઠુ બોલે છેઃ યજ્ઞેશ દવે
ભાજપ નેતા યજ્ઞેશ દવેનો વધુ એક ટ્વિટ બોંબ ફોડતા કેજરીવાલે દિલ્લીની એક પણ સ્કૂલની મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. 2015થી 2022 સુધી એક પણ સ્કૂલની મુલાકાત લીધી નથી, કોઇ વિદ્યાર્થી કે શિક્ષક સાથે સંવાદ ન કર્યો તેમજ કોઇ પણ ધારાસભ્યએ શાળામાં ગ્રાન્ટ ન ફાળવી હોવાનો આરોપ મૂક્યો છે. સીધી જ રીતે કેજરીવાલ પર ટાર્ગેટ કરતાં કહ્યું કે ગુજરાતમાં આવી તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. RTIના માધ્યમથી મળેલી માહિતીને આધારે યજ્ઞેશ દવે ઉપરોક્ત દાવાઓ કર્યા છે.
યજ્ઞેશ દવે ટ્વીટર કરી શું લખ્યું?
RTI પર્દાફાસ
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું ...જુવો રિપોર્ટ pic.twitter.com/7zkLQ0DFPB
મહત્વનું છે કે બીજી તરફ ગુજરાત આપના નેતાઓ પણ ભાજપ પર શિક્ષણના મુદ્દે શાબ્દિક વાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના RTI બોંબના પડઘા હજુ સુધી આપ નેતાઑ સુધી પહોંચ્યા નથી, અથવા તો જવાબ આપવાની છટકબારી શોધી રહ્યા છે. ખેર, ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ પાર્ટીઓ અન્ય પક્ષોની ઝાટકણી કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. રાજકિય કાવાદાવામાં શિક્ષણ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ પણ ચર્ચા અને હરીફાઈથી શિક્ષણનું સ્તર અને સુવિધા પણ વધી શકે છે તેમાં કોઈ બે 'મત' નથી.