ભાજપ નેતા યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધીના સંબોધનને લઇને ટ્વિટ કરીને કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવ્યો છે.
ભાજપ નેતા યજ્ઞેશ દવેનો કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ
રાહુલ ગાંધીના સંબોધનને લઇને યજ્ઞેશ દવેએ કર્યો આક્ષેપ
જિગ્નેશ મેવાણી કરતા હાર્દિક પટેલ વધુ જેલમાં રહ્યાં: યજ્ઞેશ દવે
રાહુલ ગાંધીના સંબોધનને લઇને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવ્યો છે. યજ્ઞેશ દવે આક્ષેપ લગાવતા કહ્યું કે, 'કોંગ્રેસમાં ભયંકર જાતિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર જિગ્નેશ મેવાણીનો જ ઉલ્લેખ કર્યો. જિગ્નેશ મેવાણી કરતા હાર્દિક પટેલ વધુ જેલમાં રહ્યાં છે. હાર્દિક પટેલ સામે 32 કેસ છે અને 10 મહિના હાર્દિક જેલમાં રહ્યાં હતાં. જ્યારે જિગ્નેશ મેવાણી માત્ર 9 દિવસ જ જેલમાં રહ્યાં હતાં. હાર્દિક પટેલના નામનો કેમ ઉલ્લેખ ન કર્યો?'
कांग्रेस जातिवाद की राजनीति करती है यह तो सुना था लेकिन कांग्रेस में भी भयंकर जातिवाद है यह आज पता चल गया।
हार्दिक पटेल को दो साल की सजा, 32 केस और दस महीने जेल में बंद रहे लेकिन कभी भी राहुल गांधी ने मंच से ज़िक्र नही किया,परंतु जिग्नेश मेवानी नौ दिन जेल में रहे तो ज़िक्र किया.
યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે એ મે સાંભળ્યું હતું કે પરંતુ કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે તેની આજે ખબર પડી. હાર્દિક પટેલ બે વર્ષની સજા, 32 કેસ અને દસ મહિના જેલમાં રહ્યાં, પરંતુ રાહુલ ગાંધીએ ક્યારેય સ્ટેજ પરથી એનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ જિજ્ઞેશ મેવાણી નવ દિવસ જેલમાં રહ્યાં તો રજૂ કર્યું.'
રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇ કાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદથી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરી હતી. જેમાં તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું દેશમાં અલગ અલગ નહીં પણ એક જ ભારત હોવું જોઈએ. એક ભારતમાં તમામ લોકોને સમાન હક અને સ્થાન મળવા જોઈએ. ગુજરાતમાં બધુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને ફાયદો બે ત્રણ માણસોને જ થાય છે. ગુજરાતના યુવાનોને એકસાથે મળીને સંઘર્ષ કરવો પડશે, ભાજપની સરકાર તમને કશું નહીં આપે અને તમારી પાસેથી બધુ છીનવી લેશે.
ચૂંટણી પહેલા મતદાતાઓ સુધી પહોચવા ધારાસભ્યોને તાકીદ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દાહોદ ખાતે રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. ગુજરાતના પ્રવાસ દરમિયાન દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્યો અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ચુંટણીના આગમન પહેલા એક-એક મતદાતાઓ સુધી પહોંચવા તાકીદ કરવામાં આવી હતી. બીજી તરફ ધારાસભ્યોએ ઝોન પ્રમાણે સમસ્યાઓની રજુઆત કરી હતી. જેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.