સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તેની મોત બાદથી આ મામલે ઘણી વાતો સામે આવી ચૂકી છે. સુશાંતની મોત કેવી રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. રિયા ચક્રવર્તીના અત્યાર સુધીના નિવેદન મુજબ, તે 8 જૂન પછી સુશાંતને મળી નહોતી, ન તો તેની સાથે વાત કરી હતી. હવે ભાજપના નેતા વિવેકાનંદ ગુપ્તાએ દાવો કર્યો છે કે સુશાંત અને રિયાની મુલાકાત 13 જૂનની રાત્રે થઈ હતી.
સુશાંતના કેસમાં નવો ખુલાસો
સુશાંત અને રિયાની મુલાકાત 13 જૂનની રાત્રે થઈ હતી
ભાજપના નેતા વિવેકાનંદ ગુપ્તાએ દાવો કર્યો છે
રિપોર્ટ્સ મુજબ ભાજપના મુંબઈ સેક્રેટરી એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ જણાવ્યું કે તેમને એક સાક્ષી પાસેથી ખબર પડી છે કે સુશાંતે 13 જૂનની રાતે રિયાને ઘરે ડ્રોપ કરી હતી. ગુપ્તાએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે રિયા અને સુશાંત મોડી રાતે 3 વાગ્યે સાથે જોવા મળ્યા હતા. જ્યારે રિયા કહે છે કે તે 8 જૂનથી સુશાંતને મળી નથી. તેમણે રિપબ્લિક ટીવીને જણાવ્યું કે 13 જૂનની રાત્રે એક મોટા પોલિટિશિયનનો જન્મદિવસ હતો. અન્ય એક રાજકારણીએ ટ્વિટ કર્યું હતું કે લોકડાઉન થયા પછી પણ મોટી પાર્ટી હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે એ મંત્રી જાણે છે કે આ પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું.
વિવેકાનંદે કહ્યું કે સાક્ષીએ જણાવ્યું છે કે તેણે રાતે 2થી 3 ની વચ્ચે જોયું હતું કે સુશાંત રિયાને તેના ઘરે મૂકવા ગયો હતો. 14 જૂનની સવારે તેમની હત્યા કરી તેને લટકાવી દેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તે આઈવીટનેસ કોણ હતો આ વાત પણ સીબીઆઈને જણાવશે.
સુશાંતની બહેને આ સમાચારને ગેમ ચેન્જર ગણાવ્યા
બીજી તરફ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેણે લખ્યું છે કે આ બ્રેકિંગ ન્યૂઝ ખરેખર ગેમ ચેન્જર છે. એક સાક્ષી પુષ્ટિ આપી રહ્યો છે કે 13 જૂનની રાત્રે ભાઈ રિયાને મળ્યો હતો. તો 13 જૂનની રાતે એવું તો શું થયું કે બીજા દિવસ સવારે સુશાંત મૃત હાલતમાં મળી આવ્યો.