ગુજરાતમાં હાલ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે ચર્ચા ચાલી રહી છે. જે દરમિયાન નરેશ પટેલ અને CR પાટીલ એક સાથે જામનગરમાં ઉપસ્થિત રહ્યાં
ભાગવત સપ્તાહમાં નવા રાજકીય સમીકરણ?
ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવનાઓ
નરેશ પટેલ અને CR પાટીલ કાર્યક્રમમાં એક સાથે
ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવનાઓ
સમગ્ર રાજ્યમાં હાલ સૌની નજર નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગેના મુદ્દા પર છે. મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મેં ના પ્રારંભ ના દિવસો માં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.જેની વચ્ચે નરેશ પટેલને લઈને ભાજપ નેતા વરુણ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જામનગર ચાલી રહેલી ભાગવત કથામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નરેશ પટેલ આ બંન્ને કથામા હાજરી આપશે.આ દરમિયાન જામનગરમાં CR પાટીલ અને નરેશ પટેલ એક સાથે દેખાતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો સાથે અનેક અટકળ શરૂ થઈ ગઈ છે.
જામનગર ભાગવત કથામાં CR પાટીલ અને નરેશ પટેલ એક સાથે
ઉલ્લેખની છે કે, નરેશ પટેલની રાજકારણમાં જોડાવા અંગે ઘણા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે જામનગરના ભાગવત કથામાં પાટીલ-નરેશ પટેલ વચ્ચે મુલાકાતથી ચર્ચાઓ જોર પકડ્યું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ઉદ્દભવી રહી છે.
પોથી યાત્રામાં નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર હતાં
મહત્વનું છે કે, જામનગરમાં MLA હકુભા દ્વારા 1લી મેથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં પણ નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.