મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓને 3 દિવસથી તાવ આવતો હોવાના કારણે કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તમામ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા છતા તેઓ સંક્રમિત થયા હતા. હાલમાં ઉમા ભારતી ઋશિકેશ અને હરિદ્વારની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વોરન્ટાઇન થયા છે.
ઉમા ભારતી કોરોના સંક્રમિત
ટ્વીટ કરીને આપી માહિતી
ઋષિકેશ નજીક થયા ક્વોરન્ટાઇન
ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તેઓએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેમના સંપર્કમાં આવેલા તમામ સાથી કાર્યકરો પોતાનો ટેસ્ટ કરાવે. સગવડતા હેતુ તેઓ અત્યારે ઉત્તરાખંડમાં ક્વોરન્ટાઈન થયા છે.
१) मै आपकी जानकारी मै यह डाल रही हू की मैंने आज अपनी पहाड़ की यात्रा के समाप्ति के अन्तिम दिन प्रशासन को आग्रह करके कोरोना टेस्ट के टीम को बुलवाया क्यूँकि मुझे ३ दिन से हलका बुख़ार था ।
ઉમા ભારતીએ ટ્વિટમાં લખ્યું છે કે આ હું તમને જાણ કરી રહી છું કે મને આજે પહાડી યાત્રા સમાપ્ત કર્યાના છેલ્લા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનું કહેતા મેં ટેસ્ટ કરાવ્યો છે. મને 3 દિવસથી સામાન્ય તાવ રહેતો હતો. મને રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાની સૂચના મળી છે. હું હિમાલયમાં કોરોનાના દરેક નિયમો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહી હતી. છતાં હું કોરોના પોઝિટિવ આવી છું. અત્યારે હું વંદેમાતરમ કુંજમાં ક્વોરન્ટાઈન થઈ છું. આ મારા પરિવાર દેવો છે. 4 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહેશે તો ડોક્ટરની સલાહ અનુસાર કામ કરીશ.