પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ એકવાર ફરી પોતાની સરકાર માટે મજાકનું કારણ બની શકે છે. સિદ્ધુ વિરુદ્ધ બીજેપીના નેતા તરુણ ચુગે રાજ્યપાલને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે કે એમણે મંત્રી પદના શપથ લીધા છે. પરંતુ હજુ સુધી કાર્યભાર સંભાળ્યો નથી. તોપણ મંત્રી રૂપે મળનારી સેલરી અને ભત્તાઓની મજા લઇ રહ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સિદ્ધુ અને સીએમ વચ્ચે વિવાદે સંવૈધાનિક સંકટ પેદા કર્યું છે.
બીજેપીના નેતા તરુણ ચુગે આગળ કહ્યું કે એમણે રાજ્યપાલને અપીલ કરી છે કે પંજાબના હિતમાં કોઇ નિર્ણય કરે, જો મંત્રી કોઇ કામ કરવા માંગતા નથી તો કોઇ બીજુ તેમની જગ્યાએ વિભાગ સંભાળે. આ સાથે જ જો તેમણે વિના કામ કર્યા સેલરી લઇ રહ્યા છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.
T Chugh, BJP: He has migrated&feud b/w CM&him has caused constitutional crisis. I request Guv to take decision in Punjab's interest. If Minister doesn't want to work someone else should look after his dept. If he's drawing a salary but not working, action should be taken. (08.09) pic.twitter.com/mSJqvU7JZo
આપને જણાવીએ કે નવજોત સિંહ સિદ્ધુ આ સમયે મંત્રાલય બદલવાથી નારાજ છે. ગત 6 જૂનથી મુખ્યમંત્રી અમરિન્દર સિંહે સિદ્ધુ પાસેથી શહેરી એકમ સાથે પ્રવાસન અને સાંસ્કૃત્તિક મામલાનો વિભાગ પાછો લઇ લીધો છે. અને તેમને વીજળી વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
પંજાબના સીએમ અમરિન્દરે સિદ્ધુ પાસેથી વિભાગ પાછો લેતા તેમના ખરાબ પ્રદર્શનને જવાબદાર ઠેરાવ્યો હતો. અને ત્યારથી જ બંને વચ્ચે તણાવ સાર્વજનિક થયો હતો. કેબિનેટની ફેરબદલના એક મહીના બાદ પણ સિદ્ધુ હજુ પણ પોતાનું મંત્રાલય સંભાળવાનું છે.