કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ કે, ''તેમને પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઇએ.'' સુષ્મા સ્વરાજે આ ટિપ્પણી રાહુલ ગાંધીને તે નિવદેન પર કરી જેમાં તેમણે કહ્યુ કે, ''પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ લાલકૃષ્ણ અડવાણીને ચપ્પલ મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા.''
સુષ્મા સ્વરાજે આજે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરતા રાહુલ ગાંધીના નિવેદન પર પર કહ્યુ કે, તેમને પોતાની ભાષા પર મર્યાદા રાખવી જોઇએ. રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપના કોઇ મોટા નેતાએ આ પ્રકારની પહેલા પ્રતિક્રિયા આપી છે.
राहुल जी - अडवाणी जी हमारे पिता तुल्य हैं. आपके बयान ने हमें बहुत आहत किया है. कृपया भाषा की मर्यादा रखने की कोशिश करें. #Advaniji
Rahulji - Advani ji is our father figure. Your words have hurt us deeply. Please try to maintain some decorum of your speech. #Advaniji
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 6, 2019
સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યુ કે, ''રાહુલ જી- અડવાણી જી અમારા પિતા તુલ્ય છે. તમારા નિવદેનથી દુખ થયુ છે. મહેરબાની કરીને તમારી ભાષાની મર્યાદા રાખો.'' તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યુ કે, ''નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યારે કોઇને કોઇનું ખરાબ બોલે છે.'' રાહુલે કહ્યુ કે, ''મોદીજીના ગુરુ કોણ છે? અડવાણીજી. શિષ્ય ગુરુ સામે હાથ પણ નથી જોડતો. ચપ્પલ મારીને અડવાણીજીને સ્ટેજથી નીચે ઉતારી દે છે અને પછી હિંદૂ ધર્મની વાત કરે છે.'' કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે, ''હિંદૂ ધર્મનમાં ક્યાં લખ્યુ છે કે લોકોને મારવા જોઇએ.''
ઉલ્લેખનીય છે કે, લાલ કૃષ્ણ અડવાણીને આ વખતે ભાજપે ટિકિટ નથી આપી. ઘણા વર્ષો સુધી ગાંધીનગરની સીટથી લોકસભાની ચૂંટણી લડનાર એલકે અડવાણી આ વખતની ચૂંટણી માટે ચૂપચાપ હતા, પરંતુ તાજેતરમાં જ ચૂપ્પી તોડતા પોતાના બ્લોગમાં પીએમ નરેન્દ્ર મોદી પર અપ્રત્યક્ષ રીતે નિશાનો સાધ્યો હતો.
પાર્ટીની સ્થાપના દિવસના 2 દિવસ પહેલા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગમાં લખ્યુ કે, ''દેશના લોકતંત્રનો સાર અભિવ્યકિતનુ સન્માન અને તેની વિભિન્નતા છે. સ્થાપના પછી ભાજપે ક્યારેય કોઇને શત્રુ નથી માન્યા જો રાજનીતિક રૂપથી અમારા વિચારોથી અસમહત હોય પરંતુ અમે તેમને પોતાના વિરોધી માન્યા છે. આજ રીતે ભારતીય રાષ્ટ્રવાદ જ અમારી અવધારણામાં, અમે તેમણે ક્યારેય રાષ્ટ્ર વિરોધી નથી કહ્યો, જે રાજનીતિક રૂપથી અમારાથી અસહમત હતા.''
લોકસભાની ચૂંટણી પહેલા લખેલા એક બ્લોગમાં તેમણે કહ્યું છે કે, ''તેમના માટે પાર્ટી પહેલા દેશ આવે છે અને અંતમાં પોતે આવે છે અને આગળ પણ આ સિદ્ધાંત પર ચાલતા રહેશે.''