મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવતા તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સવારે 11 વાગ્યા સુધી ઘરે અંતિમ દર્શન
સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને મોડી રાતે તેમના ઘરે લાવી દેવાયો હતો. જ્યાં તેમના અંતિમ દર્શન માટે મૂકાયો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત રાજકીય હસ્તીઓ મોડી રાતે જ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. સ્વરાજનો પાર્થિવ દેહ સવારે 11 વાગ્યા સુધી તેમના ઘરે અંતિમ દર્શન માટે રખાશે. ત્યાર બાદ 12 કલાકે દિલ્હી ભાજપ કાર્યાલય પાર્થિવ દેહને લવાશે. જ્યારે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના લોધી રોડના સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Former External Affairs Minister & senior BJP leader, Sushma Swaraj, passes away. pic.twitter.com/4L59O73xQU
નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ સૌપ્રથમ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તાત્કાલિક અસરથી એઈમ્સ પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું હતું.
Defence Minister Rajnath Singh arrives at All India Institute of Medical Sciences (AIIMS), Delhi where Former External Affairs Minister, Sushma Swaraj, passed away. pic.twitter.com/4KDSh43pJp
પરંતુ તેમની બચાવી ન શકાય અને 67 વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમના નિધન અંગેના સમાચારને પગલે ભાજપે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા દિગ્ગજ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.
2016 માં કરાઇ કિડની ટ્રાન્સપ્લાન્ટ
હાલ હોસ્પિટલમાં સુષમા સ્વરાજના પતિ તથા તેમના પરિવારના સભ્યો તથા પાર્ટીના કેટલાક નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, તેમની તબિતય છેલ્લા કેટલાક સમયગાળાથી ખરાબ હતી. 10 ડિસેમ્બરના રોજ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
બિમારીને કારણે ન લડ્યા 2019ની લોકસભા ચૂંટણી
અત્રે જણાવી દઇએ કે, સુષમા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ 2019ની ચૂંટણી લડ્યા નહોંતા. 2014માં સુષમા સ્વરાજે ભારત સરકારનો વિદેશ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પદને પણ શોભાવી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ દિલ્હીના મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા.
4 કલાક પહેલા જ ટ્વીટર પર કર્યું અંતિમ ટ્વીટ
સુષમા સ્વરાજે 370 કલમને અનુલક્ષીને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતું એક ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન થતાં પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો હતો.
A glorious chapter in Indian politics comes to an end. India grieves the demise of a remarkable leader who devoted her life to public service and bettering lives of the poor. Sushma Swaraj Ji was one of her kind, who was a source of inspiration for crores of people.
सुषमा स्वराज जी का निधन भाजपा और भारतीय राजनीति के लिए एक अपूरणीय क्षति है।
मैं समस्त भाजपा कार्यकर्ताओं की ओर से उनके परिजनों, समर्थकों व शुभचिंतकों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को चिर शान्ति प्रदान करे।
ॐ शांति शांति शांति
દેશના ગૃહ મંત્રી અમિત શાહે સુષમા સ્વરાજના નિધનને પગલે ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો હતો, તેમણે લખ્યું કે, હું તમામ ભાજપના કાર્યકર્તાઓ વતી તેમના પરિવારજનો સમર્થકો તથા શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. ઇશ્વર દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે.