કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 'સારે મોદી ચોર હે' પોતાના નિવેદન પર ફસાતા જોવા મળી રહ્યા છે. સુશીલ કુમાર મોદીએ હવે રાહુલની વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો છે.
પટના: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીની મુશ્કેલીમાં ફરી એક વાર વધારો થયો છે. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુશીલકુમાર મોદીએ પટના કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરતા હવે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે.
સુશીલ મોદીએ રાહુલ ગાંધીના 'સારે મોદી ચોર હૈ'ના નિવેદનને લઈને પટના કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 13 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, સારે મોદી ચોર હૈ. આ નિવેદન વિરૂદ્ધ સુશીલકુમાર મોદી રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સુશીલ મોદીએ બે દિવસ અગાઉ જ રાહુલ ગાંધી પર કેસ કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અનેક વાર પોતાના સંબોધનમાં કહી ચૂક્યા છે કે, નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી, આ તમામ મોદી ચોર છે. આ પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ ચોકીદાર ચોર હૈ. ના નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે પણ જવાબ માંગ્યો હતો.
राहुल गाँधी पर मानहानि का अपराधिक मुकदमा सुशील कुमार मोदी ने दर्ज कराया
— Chowkidar Sushil Kumar Modi (@SushilModi) April 18, 2019
તો બીજી બાજુ પીએમ મોદીએ રાહુલ પર પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ દરરોજ પોતાની હદ પાર કરી રહી છે. જેના નામની સાથે મોદી લાગેલું છે એમને તેઓ ચોર કરી રહ્યા છે. આ કેવું રાજકારણનું સ્તર છે. એમને સમગ્ર એક સમાજને ચોર કહી દીધો, એ પણ માત્ર તાળીઓ પડાવવા માટે.