ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ PMO પર સવાલ ઉઠાવ્યા છે. PMO પર નિશાન સાધતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ છે. તેમના આ નિવેદને ફરી રાજકારણમાં વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. વારંવાર ટિપ્પણી કરવા પ્રખ્યાત સુબ્રમણ્યમ આ વખતે હિંદુત્વ અને અધિકારીઓને લઈને ટિપ્પણી કરી હતી.
PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ
PMOના કેટલાક અધિકારીઓ શરદ પવારના સંપર્કમાં
ભ્રષ્ટાચાર સામે લડનારા અધિકારીઓને બનાવાય છે નિશાન
CAAને લઈને થયેલા માંથી શીખ લેવાની જરૂર છે
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ PMO પર સવાલ ઉઠાવતા એવું કહ્યું છે કે તેઓ વિવાદમાં સપડાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે PMOના કેટલાક અધિકારીઓ શરદ પવારના સંપર્કમાં છે. દેશભક્ત અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે લડનારા અધિકારીઓને નિશાન બનાવાય છે. CAAને લઈને થયેલા બળવામાંથી શીખ લેવાનું સ્વામીએ સૂચન કર્યુ છે.
The PMO today is dominated by officials who have an anti Hindutva mindset. Some in PMO are in touch with Sharad Pawar and his daughter. The targeting of officials who are patriotic and want to prosecute the corrupt, has begun. We must learn a lesson from Delhi Anti CAA uprising
ટ્વીટર પર તેમણે લખ્યું હતું કે હિંદુત્વ વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓનું વર્ચસ્વ વધારે છે. કેટલાક અધિકારીઓ એનસીપીના નેતા શરદ પવાર અને તેની દીકરી સુપ્રિયા સુલેના સંપર્કમાં છે. તેણે એમ પણ કહ્યું કે એવા અધિકારીઓને નિશાનો બનાવાઈ રહ્યા છે જે દેશભક્ત છે અને ભ્રષ્ટાચાર ચારીઓને કઠેડામાં ઉભા કરવા માંગે છે. આપણે દિલ્હી હિંસા ન ભૂલવી જોઈએ. તેમાંથી શીખ લેવી જોઈએ.
મોદી સરકારની સમીક્ષા કરી હતી
ઉલ્લેખનીય છે કે દિલ્હીની હિંસામાં 46 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 200થી વધારે લોરો ઈજાગ્રસ્ત થયા છે. એનસીપીના શરદ પવારે હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળતા બાબતે મોદી સરકારની સમીક્ષા કરી હતી.