ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મેં ભી ચોકીદાર કેમ્પેઈનના બહાને પોતાની પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, હું મારૂ નામ બદલી શકુ નહીં. હું મારા નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી શકુ નહીં. હું બ્રાહ્મણ છું અને હું ચોકીદારને આદેશ આપી શકુ છું કે તેણે શું કરવાનું છે. તો આવામાં હું મારા નામ આગળ કેવી રીતે ચોકીદાર શબ્દ લગાવી શકું. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન સોશિયલ મીડિયામા ખૂબ વાયરલ થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'મેં ભી ચોકીદાર' કેમ્પેઈન લોન્ચ કર્યુ છે. ત્યારે ભાજપના મોટાભાગના નેતાઓએ પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો છે. ટ્વીટર પર પણ મોટાભાગના ભાજપના નેતાઓએ નામ બદલીને આગળ ચોકીદાર શબ્દ લગાવ્યો છે. આ અભિયાનની શરૂઆત ખુદ પીએમ મોદીએ કરી છે.
મહત્વનું છે કે, સુબ્રમણ્યમ સ્વામી અગાઉ પણ આ રીતે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. તાજેતરમાં જ તેઓએ પીએમ મોદી અને અરૂણ જેટલી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીને અર્થવ્યવસ્થઆની જાણકારી જ નથી.