રાજ્યમાં રેલીઓ અને કાર્યક્રમ કરાનારા ભાજપી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. અનેક ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે ત્યારે હજુ પણ એ સિલસલો યથાવત્ છે. રાજ્યના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે.
રાજ્યના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોના પોઝિટિવ
જયેશ રાદડિયાના પીએ પણ સંક્રમિત થયા
ભાજપના યુવા નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ ખાતેના પોતાના નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇન થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસમાં કેબીનેટ મંત્રી રાદડિયા સાથે જ રહ્યા હતા.
મને કોરોનાના સામાન્ય લક્ષણો, હું હોમ ક્વોરન્ટાઇન થયો છુંઃ રાદડિયા
આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપીહ તી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજ રોજ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા, હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે.' વધુમાં તેમણે લખ્યું કે, 'છેલ્લા અઠવાડીયામાં મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.'
મને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે,
છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.
મળતી માહિતી અનુસાર, જયેશ રાદડિયાના પીએ વિપુલ બાલધા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે રાદડિયાના સંપર્કમાં આવેલા અનેક લોકો ટેસ્ટ કરાવશે. ભાજપના નેતા કોરોનાની ઝપેટમાં આવતા ફફડાટ ફેલાયો છે. થોડા દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે રેલી અને સભામાં રાદડિયા હાજર હતા. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કોરોનાની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.
ભા.જ.પા. પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામા ભવ્યાતિભવ્ય સ્વાગત.
ખોડલધામ ખાતે “માં ખોડલ”ના દર્શન તેમજ શ્રી સી.આર.પાટીલજીના રજતતુલા. pic.twitter.com/4rYCS3jmLv