જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અનંતનાગના વેરિંગની છે. રિપોર્ટ અનુસાર અનંતનાગ જિલ્લાના નૌગામ ગામમાં હથિયારોથી સજ્જ આતકંવાદી અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ગુલ મુહમ્મદ મીરના ઘરે પહોંચ્યા અને તેમને ગોળીઓથી ઠાર કરી દીધા.
આ ઘટના શનિવાર સાંજની છે. ઇજાગ્રસ્ત ગુલ મુહમ્મદ મીરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભાજપના રાજ્ય પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે 60 વર્ષના ગુલ મુહમ્મદ મીર અબ્દુલ કરીમ મીર પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે મીરને ચાર ગોળીઓ વાગી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જમ્મૂ-કાશ્મીર ભાજપની આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે ભાજપ આતંકવાદીઓની કરતૂતો આગળ ઝુકશે નહીં. જણાવી દઇએ કે આ સમયે અનંતનાગમાં લોકસભા ચૂંટણી માટે મત નાખવામાં આવી રહ્યા છે.
જેને લઇને ત્યાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતા આના આતંકવાદીઓ હથિયારથી સજ્જ થઇને ઘટના સ્થળે પહોંચવામાં કામયાબ રહ્યા અને તેમણે ગોળીઓ મારીને ફરાર થઇ ગયા.
Jammu & Kashmir: A BJP worker Gul Mohd Mir has been shot dead by terrorists at Nowgam, Verinag in South Kashmir. Security forces have cordoned off the area. More details awaited. pic.twitter.com/y6RazAOC28