મધ્યપ્રદેશમાં પોતાની જ સરકાર પર કોંગ્રેસના પૂર્વ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાના શાબ્દિક હુમલા બાદ હવે ભાજપે પણ સિંધિયાને પાર્ટી છોડવાની સલાહ આપી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ખેડૂતોના દેવામાફીનો વાયદો પૂર્ણ નથી થઇ શક્યો.
જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપની સલાહ
કોંગ્રેસથી પરેશાન હોવ તો કોંગ્રેસ છોડી દેવી જોઇએ
અમે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફીની જાહેરાત કરી હતી પરંતુ 50 હજાર સુધી દેવું માફ કરાયું છે. ત્યારે સિંધિયાની આ ટિપ્પણીને લઇ મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે કહ્યું કે કોંગ્રેસથી જો સિંધિયા પરેશાન હોય તો તેઓએ પાર્ટી છોડી દેવી જોઇએ.
સિંધિયાના વાયરલ થયેલા પોસ્ટરને લઇ ચર્ચા
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ તેમનું એક પોસ્ટર સામે આવ્યું છે જેમાં તેમનો ફોટો પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે નજર આવે છે. સિંધિયા ભિંડ વિસ્તારના અટેરમાં પૂર પીડિત લોકોની મુલાકાતે પહોંચ્યા હતા.
મધ્યપ્રદેશમાં ભાજપના પોસ્ટરમાં સિંધિયાની તસવીર
આ દરમિયાન તેમના સ્વાગત માટે પોસ્ટર લગાવામાં આવ્યા હતા. જેમાં કલમ 370 હટાવા પર કેન્દ્રની મોદી સરકારનું સમર્થન કરવા પર સિંધિયાનો આભાર વ્યક્ત કરાયો હતો. હાલ આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તો સિંધિયાને લઇને પણ ચર્ચા થઇ રહી છે.
Madhya Pradesh: Poster of Congress leader Jyotiraditya Scindia along with Prime Minister Narendra Modi and Home Minister Amit Shah, put up in Bhind. The poster was put up by BJP Bhind District Coordinator after Scindia's support for abrogation of Article370. pic.twitter.com/gyr2cjjpgY
કોંગ્રેસની હાર બાદ સિંધિયાએ મહાસચિવ પદેથી આપ્યું રાજીનામું
તેમણે કહ્યું કે હાઇ કમાન્ડે વહેલી તકે નિર્ણય લેવો જોઇએ કે પ્રદેશ પ્રમુખ કોણ બનશે કારણ કે તે બંને જવાબદારીઓનો તેઓ પોતે ભાર અનુભવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તે સમયે તે પાર્ટીના મહાસચિવ પણ હતા. પરંતુ કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.