ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં વિવાદિત નિવેદનને લઈને માફી માંગી અને કહ્યું કે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. લોકસભાના એક સભ્યએ મને સાર્વજનિક રીતે આતંકવાદી કહ્યું. મારી વિરુદ્ધમાં સરકાર દ્વારા કરાયેલા ષડયંત્રને લઈને મને આતંકવાદી કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી મારી પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી.
સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી
ગોડસે પર આપ્યું હતું નિવેદન
લોકસભામાં માગી માફી
ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં વિવાદિત નિવેદનને લઈને માફી માંગી અને કહ્યું કે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. લોકસભાના એક સભ્યએ મને સાર્વજનિક રીતે આતંકવાદી કહ્યું. મારી વિરુદ્ધમાં સરકાર દ્વારા કરાયેલા ષડયંત્રને લઈને મને આતંકવાદી કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી મારી પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં માગી માફી
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મારા નિવેદનથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું. હું મહાત્મા ગાંધીના કામનું સન્માન કરું છું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. મારી પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી. અને તેના વિના મને આતંકી કહેવું ગેરકાયદેસર છે. મને શારિરીક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. આ મારા સન્માનને ઠેસ પહોંચાડવા બરોબર છે.
પાર્ટીના મોટા નેતાઓને મળ્યા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
આ પહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ અને સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીની સાથે મુલાકાત કરી. સંસદમાં થયેલી બેઠકમાં ભાજપના મોટા નેતાઓએ પ્રજ્ઞા ઠાકુરને પોતાનો પક્ષ રાખવા કહ્યું હતું.
સત્ય છે કે મેં ઉધમસિંહનું અપમાન સહ્યું નહીંઃ પ્રજ્ઞા ઠાકુર
રાજકીય વિવાદની વચ્ચે પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે સફાઈ આપી હતી. તેઓએ કહ્યું કે ક્યારેય જૂઠાણું એટલું સાચું નથી હોતું કે દિવસે પણ રાત દેખાય. સૂર્ય પોતાનો પ્રકાશ ક્યારેય ખોવતો નથી. સૂર્યનો પ્રકાશ અસ્થાયી છે. સત્ય છે કે મેં ઉધમસિંહનું અપમાન સહ્યું નહીં.