ભાજપ નેતા પ્રહ્લાદ જોશીએ ભાજપની તરફથી ખરગેની ટિપ્પણીઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ ખરી કોંગ્રેસ નથી. આપણે બધાં જાણીએ છીએ કે જે ખરી કોંગ્રેસમાં હતાં તેમણે સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક અને સરદાર પટેલ જેવા નેતાઓની સાથે કેવો વ્યવહાર કર્યો છે. તો રામેશ્વર શર્માએ પણ ખરગે સામે પલટવાર કર્યો છે.
ભાજપ નેતા રામેશ્વર શર્માએ કરી ખરગે સામે લાલ આંખ
કૂતરાંવાળા વિવાદસ્પદ નિવેદન પર બોલ્યાં રામેશ્વર
કહ્યું, જે પોતે કૂતરાં હોય તે જ બીજાંને કૂતરાંની રીતે જોએ છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનાં કુતરાવાળાં નિવેદન પર રાજનીતિ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા કોંગ્રેસ પર હમલો કરી રહ્યાં છે. બીજેપી નેતા રામેશ્વર શર્માએ નિશાનો સાધતાં કહ્યું કે કોંગ્રેસને કૂતરાં ગણવાની આદત છે તેમને દેશભક્ત ગણવાની આદત નથી. હાલમાં જ ખરગેએ બીજેપીને લઇને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આઝાદીની જંગમાં કોંગ્રેસનાં કેટલાય નેતાઓએ પોતાનાં બલિદાન આપ્યાં છે પરંતુ બીજેપીનાં ઘરથી આઝાદીની લડતનીમાં એક કુતરું પણ મર્યું નથી.
રામેશ્વર શર્માએ ખરગે પર કર્યાં તીખા પ્રહાર
મલ્લિકાર્જુન ખરગે પર નિશાન સાધતાં રામેશ્વર શર્માએ કહ્યું કે ખુદ સોનિયાનાં 10 જનપદનાં કૂતરાં બન્યાં છો, તેથી બીજાં બીજાંને કૂતરું કહેવું અપરાધ છે. તેમણે કહ્યું કે જે પોતે કૂતરાં હોય છે તે જ બીજાંને કૂતરાંની રીતે જોએ છે. કોંગ્રેસનાં લોકોને દેશભક્તોનું સન્માન કરવાની આદત નથી.
#WATCH कांग्रेस को कुत्ते गिनने की आदत है, देशभक्त गिनने की आदत नहीं हुई। देश भक्तों का सम्मान करने की आदत नहीं हुई। जैसे ये सोनिया गांधी के दरबारी कुत्ते बने खुद घूमते हैं उसी दृष्टी से देखते हैं। जो खुद कुत्ता होता है वो दूसरों को कुत्तों की तरह देखता है: रामेश्वर शर्मा, BJP https://t.co/Wte6SkrCulpic.twitter.com/hpbJMRa3mG
આ ખરી કોંગ્રેસ નથી! : પ્રહ્લાદ જોશી
આ વચ્ચે બીજેપીનાં સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ ભાજપ તરફથી ખરગેની ટિપ્પણીની નિંદા કરી છે અને દાવો કર્યો છે કે વિપક્ષી દળનું સ્વતંત્રતા આંદોલનનાં વારસાનો દાવો કરવું ખોટું છે. કારણ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આઝાદી પછી કહ્યું હતું કે કોંગ્રેસને ભંગ કરી દેવી જોઇએ. તેમણે કહ્યું હતું કે આ સાચી કોંગ્રેસ નથી. આપણે બધાં જાણીએ છીએ કે જે સાચી કોંગ્રેસમાં હતાં તેમણે સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર ટિળક અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવા નેતાઓની સાથે કેવો વ્યવહાર કર્યો હતો.
'તે નકલી નેતાઓથી ભરાયેલું છે'
જોશીએ વિપક્ષી પાર્ટીની સૌથી લાંબા સમયસુધી અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીની જન્મભૂમીની તરફ ઇશારો કરતાં કહ્યું કે આ એક ઇટાલિયન કોંગ્રેસ છે જેનું નેતૃત્વ કેટલાક લોકો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ નકલી નેતાઓથી ભરેલી છે, ફેક કોંગ્રેસ છે. તેનાં અઘ્યક્ષ રબર સ્ટેમ્પ છે.
ખરગેએ કેન્દ્ર સરકાર પર પહેલાં પણ લગાવ્યાં હતાં આરોપ
રાજસ્થાનનાં માલખેડામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન ખરગેએ એક સભાને સંબોધિત કરતાં અરૂણાચલ પ્રદેશ તવાંગમાં ભારત-ચીન સૈનિકોની વચ્ચે થયેલ અથડામણને લઇને કેન્દ્ર સરકાર પર સંસદમાં ચર્ચાથી ભાગવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ચીનની તરફથી કરવામાં આવી રહેલા અતિક્રમણ અને સીમા મુદે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી.