યૂપીના અમેઠીમાં ભાજપના નેતા અને સ્મૃતિ ઈરાનીના નજીકના નેતા સુરેન્દ્ર સિંહની હત્યા કરી દેવામાં આવી છે. સુરેન્દ્ર સિંહની ગઈ રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો કે જ્યારે તેઓ પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, બાઈક પર આવેલા હુમલાખોરોએ સુરેન્દ્રસિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જે બાદ તેઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને લખનઉ લઈ જવા માટે રીફર કર્યા હતા.
પણ લખનઉ લઈ જતા રસ્તામાં જ સુરેન્દ્ર સિંહે દમ તોડ્યો હતો. તો ઘટના પગલે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની મહત્વની ભૂમિકા રહી હતી. સુરેન્દ્ર સિંહને સ્મૃતિ ઈરાનીના ખૂબ જ નજીકના ગણવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે સુરેન્દ્ર સિંહનો પ્રભાવ આ વિસ્તારમાં વધારે છે.
કોણ હતા સુરેન્દ્રસિંહ ?
સ્મૃતિ ઇરાનીના ખુબ નજીકના મનાતા હતા સુરેન્દ્રસિંહ
સ્મૃતિ ઇરાનીના પ્રચારમાં ખુબ સક્રીય હતા
રાહુલ ગાંધીની નિષ્ક્રીયતા પર કરેલી ટિપ્પણી વિવાદાસ્પદ બની