ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ ફરી એકવાર દાવો કર્યો છે કે ટીએમસીના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
ભાજપના નેતા મિથુન ચક્રવર્તીનો દાવો
ટીએમસીના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં
ટીએમસીએ ભાજપના નેતાઓના દાવાને નકાર્યો
ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ ફરી એકવાર દાવો કર્યો છે કે ટીએમસીના 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. દુર્ગા પૂજા પહેલા કોલકાતા પહોંચેલા મિથુને શનિવારે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને પત્રકાર પરિષદમાં દાવો કરતા કહ્યું "ટીએમસીના 21 ધારાસભ્યો હજી પણ મારા સંપર્કમાં છે, મેં આ પહેલા પણ કહ્યું હતું અને હાલ પણ કહી રહ્યો છું. હું મારી વાત પર અડગ છું. બસ સમયની રાહ જુઓ.
ભૂલનું પુનરાવર્તન કરીશ નહી
મિથુને ટીએમસી નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી. "હું પક્ષના વાંધાઓથી વાકેફ છું. ટીએમસી નેતાઓને પાર્ટીમાં લેવા સામે વાંધો છે. ઘણા નેતાઓ કહે છે કે અમે સડેલા બટાકા નહીં લઈએ. મેં કહ્યું છે કે હું એ જ ભૂલનું પુનરાવર્તન નહીં કરું. આગળના વર્ષમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા મિથુને જુલાઈમાં પણ દાવો કર્યો હતો કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના 38માંથી 21 ધારાસભ્યો તેમના સીધા સંપર્કમાં છે.
અન્ય ભાજપના નેતાઓ હાજર
મિથુનની સાથે ભાજપના પ્રદેશ એકમના અનેક પ્રમુખ સુકંતા મજુમદાર અને અન્ય નેતાઓ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે ટીએમસી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે. ભાજપને મુસ્લિમ વિરોધી કહેવા પર મિથુને કહ્યું કે, "ભાજપને મુસ્લિમ વિરોધી કહેવું એ માત્ર એક કાવતરું છે, જ્યારે હકીકતમાં એવું કંઈ નથી.
ટીએમસીએ દાવાને નકાર્યો
ટીએમસીએ ભાજપના નેતાઓના દાવાને નકારી કાઢતાં કહ્યું છે કે તેના નેતાઓ વેચાવ નથી. ટીએમસીના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે ભાજપ પર પલટવાર કરતા કહ્યું કે, "આ પ્રકારનું નિવેદન લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ છે. તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી. મને લાગે છે કે આવી ટિપ્પણીથી ભાજપમાં અંદરોઅંદરની લડાઈ વધશે. ટીએમસીના ધારાસભ્યો ભાજપના નેતાઓની જેમ વેચાવ નથી. "