West Bengal BJP has called for a 12-hour bandh in Barrackpore today in protest against the murder of party worker Manish Shukla in Titagarh: State BJP general secretary Sanjay Singh https://t.co/yLEa6BOVd1
પશ્ચિમ બંગાળમાં મનિષ શુક્લાની હત્યા બાદ માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
West Bengal: Visuals from North 24 Parganas' Titagarh where BJP councillor Manish Shukla has been shot dead. pic.twitter.com/9z81tlLtFU
ભાજપે આ મામલે રાજ્યના બેરકપુરમાં બંધનું એલાન જાહેર કર્યું છે. રાજ્યપાલ જયદીપ ધનખડે કાનૂન વ્યવસ્થા મામલે પ્રદેશના DGP સહિત તમામ અધિકારીઓને રાજભવન બોલાવ્યા છે. મનિષ શુક્લા ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે પાર્ટીના કાર્યાલયમાં બેઠા હતા. તે સમયે બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જે બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે પોલીસ સ્ટેશનની સામે જ ભાજપ નેતા પર ફાયરિંગ થતા અહીં સલામતીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ભાજપે CBI તપાસની માંગ કરી. ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ CBI તપાસની કરી માંગ કરી છે.