ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મોરબી માળિયા મિયાણા વચ્ચેની આ ઘટના છે. અજાણ્યા શખ્સોએ જયંતિ ભાનુશાળી પર ફાયરિંગ કરતા એક ગોળી આંખમાં વાગી અને એક ગોળી છાતીમાં વાગતા તેમનું મોત થયુ છે.
તેઓ ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે મોડી રાતે અજાણ્યા શખ્સો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસમાં મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે આ હત્યા થઈ છે.
ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો થોડા સમય પહેલા જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ પણ લાગ્યો હતો. આરોપ બાદ જયંતિ ભાનુશાળીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યુ હતું. એટલું જ નહીં તેઓ કચ્છ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા પણ હતા.
કોણ છે જયંતિ ભાનુશાળી ?
જયંતિ ભાનુશાળી ભાજપ નેતા છે
અબડાસા પાસેના કોઠારા તેમનું વતન છે
નવમા ધોરણ બાદ તેણે અભ્યાસ છોડી દીધો હતો.
રિયલ એસ્ટેટ ખેતી અને બારદાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે
1980ના દાયકાથી અબડાસા તાલુકા અને કચ્છ જિલ્લાના રાજકારણમાં સક્રિય
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા
વર્ષ 2007માં ભાજપે તેને અબડાસા બેઠકની ટિકિટ આપી
2007ની ચૂંટણીમાં તેમનો વિજય થયો
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના છબીલ પટેલ સામે પરાજય મળ્યો
2015 તેની નિમણૂંક સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડમાં ડિરેક્ટર તરીકે થઈ