ટિકિટ ફાળવણી દરમિયાન બનાસકાંઠા ભાજપમાં આંતરિક વિખવાદ મામલો સામે આવ્યો હતો. પરબત પટેલ ઉમેદવાર તરીકે જાહેર થતા જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ગેરહાજર રહેતા વિવાદ સર્જાયો હતો. પરંતુ હવે તેઓ હવે ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ઈમોશનલ ડ્રામા જોવા મળ્યો હતો. દિયોદરમાં ભાજપના નેતા કેશાજી ચૌહાણ ભાવુક થયા હતા. CMની ઠાકોર સમાજ સાથેની બેઠકમાં કેશાજી ચૌહાણની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. બીજી તરફ ઠાકોર સમાજને ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેશાજીએ બનાસકાંઠાથી ટિકિટ માટે દાવેદારી કરી હતી. ટિકિટ ન મળતા કેશાજી નારાજ હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે કેશાજી ફરી સક્રિય થયા છે. ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે.
બનાસકાંઠા ભાજપમાં આંતરિક વિખવાદ મામલો સામે આવ્યો હતો
અગાઉ બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પરબત પટેલને ટિકિટ આપતા જ કેશાજી ચૌહાણ નારાજ થયા હતા. ભાજપમાંથી બળવો કરવાની વાત સામે આવી હતી. કેશાજીએ અગાઉ અપક્ષમાંથી ચૂંટણી વડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે હવે કેશાજી ચૌહાણે ભાજપને વિજયી બનાવવા માટે હાંકલ કરી હતી.