ભાજપ નેતા જયનારાયણ વ્યાસે હાલની દેશની સ્થિતિ વર્ણવતી કવિ જુગલ દરજીની એક કવિતા પોસ્ટ કરી છે. ભાજપ નેતા જયનારાયણ વ્યાસે કવિતાના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા જયનારાયણ વ્યાસની પોસ્ટ અંગે કોંગ્રેસનો કટાક્ષ કર્યો હતો.
જયનારાયણ વ્યાસે કરેલી પોસ્ટમાં લખ્યું છે કે સરકારની સામે બોલવામાં ડર લાગે છે, બેકાર યુવાઓની સ્થિતિ પર ડર લાગે છે, ગરીબી પર લખતા પણ ડર લાગે છે, અત્યાચાર વિશે લખતા પણ ડર લાગે છે, ભ્રષ્ટાચાર પર બોલતા પણ ડર લાગે છે, આ કવિતા ભાજપ નેતા જયનારાયણ વ્યાસે પોસ્ટ કરી છે.
ત્યારે પોસ્ટ મામલે જયનારાયણ વ્યાસે કહ્યું કે હું સાહિત્યનો માણસ છું મને કાવ્ય ગમ્યું એટલે મેં પોસ્ટ કર્યું. આ પોસ્ટને રાજનીતિ સાથે કોઇ લેવા-દેવા નથી.
ભાજપના નેતા જયનારાયણ વ્યાસની પોસ્ટ અંગે કોંગ્રેસનો કટાક્ષ
કોંગ્રેસે કહ્યું કે, બેરોજગારી, મહિલા અત્યાચાર, મોંઘવારીસાંપ્રત પરિસ્થિતિને ઉજાગર કરી છે. કવિના શબ્દો છે એ અંગે સરકાર સંવેદનશીલ બને તે સમયની માંગ છે. સાચી સ્થિતિને જયનારાયણ ભાઈએ કવિતા પોસ્ટ કરી છે. જયનારાયણ ભાઈની વેદના બાદ સરકાર સત્વરે જાગે છે.