30 ઓક્ટોમ્બરે દેશભરમાં છઠ્ઠ પર્વની ઉજવણી કરવામાં આવશે. આજથી પર્વની શરુઆત સ્નાન સાથે થઈ રહી છે. આ વખતે દિલ્હી સરકારે રાજધાનીમાં 1100 સ્થળોએ છઠ્ઠ ધામધૂમથી ઉજવવાની જાહેરાત કરી હતી.
30 ઓક્ટોમ્બરે દેશભરમાં છઠ્ઠ પૂજા કરવામાં આવશે
આજથી થઈ રહી છે પર્વનુ ઉજવણીની શરુઆત
ગત વર્ષની જેમ આ વર્ષે પણ યમુનામાં પથરાઈ સફેદ ફીણની ચાદર
30 ઓક્ટોમ્બરે દેશભરમાં છઠ્ઠ પર્વની ઉજવણી કરવામાં આવશે. આજથી પર્વની શરુઆત સ્નાન સાથે થઈ રહી છે. આ વખતે દિલ્હી સરકારે રાજધાનીમાં 1100 સ્થળોએ છઠ્ઠ ધામધૂમથી ઉજવવાની જાહેરાત કરી હતી. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. પરંતું આ વખતે પણ યમુના નદીમાં સફેદ ફીણની ચાદર પથરાઈ જવા પામી છે. આ પ્રદૂષિત પાણીમાં ભક્તોને પૂજા કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ પ્રશાસન દ્વારા યમુનાના પાણીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેથી સફેદ ફીણ ઓછું કરી શકાય. બીજી તરફ આ વખતે યમુનામાં પ્રદૂષણને લઈને પણ રાજકારણ શરુ થઈ ગયું છે.
ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. બીજેપી નેતા મનોજ તિવારીએ ગુરુવારે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કેજરીવાલે 2013 માં દાવો કર્યો હતો કે તેઓએ યમુનાને એટલી બધી સાફ કરશે કે લોકો ડૂબકી લગાવી શકશે. પણ આજે પણ એમાં ફીણ તરતું છે. તિવારીએ કહ્યું કે આજે જ્યારે બીજેપી નેતાઓ કાલિદી ઘાટ પહોચ્યા ત્યારે ત્યાં ફીણ છુપાવવા કેમિકલને છંટકાવ કરવામાં આવી રહ્યા હતો. ભાજપના નેતાઓને જોઈને આ લોકો કેમિકલ ત્યાં છોડીને ફરાર થઈ ગયા હતા.
जब हमारे स्थानीय पूर्वांचल के लोगों ने भाजपा नेता @p_sahibsingh और @TajinderBagga को सच्चाई बताने लगे तो BJP के नेताओं की बोलती बंद हो गई।
BJP के नेताओं को चेतावनी देता हूँ कि हमारे पूर्वांचल के आस्था के महापर्व छठ पूजा पर राजनीति करना बंद कीजिए।
મનોજ તિવારીએ શુક્રવારે ટ્વિટ કરરીને કહ્યું કે ફી એકવાર અરવિંદ કેજરીવાલનો હિંદુ વિરોધી ચહેરો સામે આવ્યો છે. ગઈકાલે આપણ બધાએ યમુનાજીની ખરાબ હાલત બતાવી અને સ્વચ્છતા અને આસ્થાના તહેવાર છઠ્ઠ માટે અધિકારીઓ સાથે યમુના કાંઠાની સફાઈ કરી. ત્યારે હવે અમે અમારા અધિકારીઓને ધમકી આપી રહ્યા છીએ તે યમુના કિનારે છઠની ઉજવણી ન થવા દઈએ.
AAP કર્યો વળતો હુમલો
આમ આદમી પાર્ટી કચરાના મુદ્દે ભાજપને ધેરવામાં લાગી છે. ત્યારે આજ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે યમુના પહેલા સાફ થઈ છે. આપ પ્રવક્તા સૌરભ ભારતદ્વાજે કહ્યું કે આ એક હાસ્યાસ્પદ છે અને ખોટું પણ છે કે યમુનામાં ફીણ ઓછું કરવા માટે ઝેરી કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કેમિકલનો મતલબ ઝેર નથી. પાણીને સાફ કરવા માટૈ ઉપયોગમાં લેવામાં આવતી ક્લોરીન અને ફટકડી પણ એક પ્રકારનું કેમિકલ છે.
ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પણ આરોપોથી ઘેરાયેલા છે
ભાજપના સાંસદ પરવેશ વર્માં આરોપોથી ઘેરાયેલા છે. ત્યારે આપ નેતા સૌરભ ભારદ્વાજે એક વીડીયો ટ્વીટ કર્યો છે. જેમાં યમુનાના કિનારે ભાજપ સાંસદ પરવેશ વર્માં માથાકૂટ કરતા નજરે પડે છે. ફીણ પર કેમિકલ છાંટવા વાળા અધિકારીઓને પણ લડતા વીડિયોમાં જોઈ શકીએ છીએ.
આપ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માંએ વીડિયો શેર કર્યો છે. જેમાં કહ્યું છે કે દિલ્લી સરકાર છઠની પૂજાની તૈયારીઓ કરી રહી છે અને ભાજપના નેતા કામ રોકી રહ્યા છે અને ગેરવર્તણુંક કરે છે. ભાજ ઈચ્છે છે કે પૂર્વાચલી ભાઈઓને હેરાન થાય અને તહેવાર બગડે. આ વીડિયોમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માં અધિકારીઓને કેમિકલ છોડવા પર લડતા નજરે આવી રહ્યા છે.