મહારાષ્ટ્રમાં રાજનીતિક પરિવારોમાં લગ્નના સમારોહ દૌર ચાલી રહ્યો છે.
શિવસેના સાંસદ સંજય રાઉત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલે, મંત્રી ગુલાબરાવ પાટિલ, જિતેન્દ્ર આવ્હાડે અને હવે ભાજના નેતા હર્ષવર્ધન પાટીલના ઘરે પણ લગ્નની તૈયારીઓ થઈ રહી છે. પૂર્વ સહકારીતા મંત્રી હર્ષવર્ધન પાટીલની દિકરી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહૂ બનવા જઈ રહી છે. 28 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન થશે. ખુબ ઓછા અને સિલેક્ટેડ લોકોની વચ્ચે ઠાકરે પરિવાર એડવોકેટ નિહાર ઠાકરે અને અંકિતા પાટીલ શાદીના બંધનમાં બંધાશે.
સીએમ ઉદ્ધવ ઠાકરેનો ભત્રીજો છે નિહાર ઠાકરે
અંકિતા પાટીલ હાલમાં પુના જિલ્લા પરિષદની સદસ્ય છે. અને ઈન્ડિયન સુગર મીલ્સ એશોસિએશનની પણ નિર્દેશક પણ છે. નિહાર શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિંદુ માધવ ઠાકરેના પુત્ર છે. જે મુંબઈમાં એક એડવોકેટ તરીકે કામ કરી રહ્યાં છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિહારના સગાં કાકા છે. અને મનસે પ્રમુખ રાજ ઠાકરેના પિતરાઈ કાકા છે. હર્ષવર્ધન પાટીલને રાજ ઠાકરે ઘર જઈને લગ્ન નિમંત્રણ આપ્યું હતું.
હર્ષવર્ધન પાટીલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા
હર્ષવર્ધન પાટીલ પહેલા કોંગ્રેસના હતાં. અને 2019ના વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપીમાં આવી ગયાં હતાં. હર્ષવર્ધન પાટીલ કદ્દાવર નેતા માનવામાં આવે છે. જે પુના જિલ્લાની ઈંદાપુર વિધાનસભા સીટમાં ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યાં છે. હર્ષવર્ધન પાટીલના પાસ 1995 થી 2014 સુધી રાજ્ય સરકારોમાં મંત્રીના રૂપમાં સેવા આપવામાં રેકોર્ડ પણ છે.1995, 1999, અને 2004માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી હતી. 2009માં તેમણે કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યાં છે. 1995માં તેમણે શિવસેના -બીજેપી સરકારનું સમર્થન કર્યું હતું. અને તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યાં હતાં.