ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણની '15 કરોડ મુસ્લિમ 100 કરોડ પર ભારી પડશે' નિવેદન પર રાજકીય પાર્ટીઓ વચ્ચે નિવેદનબાજી જારી છે. હવે મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય કાઉન્સિલર અને પાર્ટી પ્રવક્તા ગિરિશ વ્યાસે કહ્યું કે ગુજરાતમાં જે કંઇ થયું, જેને તેઓએ (વારિસ પઠાણ) ભૂલવું ન જોઇએ.
AIMIM ના નેતા વારિસ પઠાણના વિવાદીત નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો
બીજેપી નેતા ગિરિશ વ્યાસે કહ્યું કે ગુજરાતમાં જે કંઇ થયું, જેને તેઓએ ભૂલવું જોઇએ
વ્યાસે મુસ્લિમ સમુદાયને વારિસ પઠાણ જેવા લોકોનો બહિષ્કાર કરવા અને 'તેઓને પાઠ ભણાવવા' ની અપીલ કરી. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું,' આ દેશના યુવા, દેશભક્ત અને બીજેપીના પ્રત્યેક યુવા વારિસ પઠાણને તેની ભાષામાં જવાબ આપી શકે છે, જે તેઓએ ઉપયોગ કરી છે'.
પઠાણ પર રાજદ્રોહની કાર્યવાહીની માંગ
બીજેપી પ્રવક્તાએ કહ્યું, 'અમે ખુબ જ સહિષ્ણુ અને ધૈર્યવાન છીએ. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે તેમનો સામનો નથી કરી શકતા. શુ ગુજરાતના કાલુપુરમાં જે થયું હતું, તે યાદ છે. જો તેને યાદ રાખશો... તો મારો વિશ્વાસ છે કે મુસ્લિમ આજે ઉઠવાના પ્રયાસ માટે સાહસ નહીં કરે.'
વ્યાસ ગુજરાતમાં ગોધરા બાદ થયેલા 2002ના રમખાણોનો હવાલો આપી રહ્યા હતા. આ રમખાણોમાં 1,000થી વધારે લોકો માર્યા ગયા હતા. તેઓએ કહ્યું,'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વારિસ પઠાણની વિરુદ્ધ રાજદ્રોહની કાર્યવાહી કરવી જોઇએ અને કેન્દ્ર સરકારે તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.