ગાંધીનગરઃ ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મગફળી મુદ્દે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે કોઇ પણ કારણોસર મગફળી ધીમી ખરીદાઇ રહી છે. કર્મચારીઓએ સહકાર આપવો જોઈએ. કાળજી રાખવામાં આવશે તો ગોટાળો થશે નહીં. કર્મચારી ગોટાળો નહીં કરે તો ગોટાળો થશે નહીં.
સંઘાણીએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા છે. કર્મચારીઓએ સહકાર આપવો જોઇએ. ખેડૂતો માટે નિર્ણય દુઃખદાયક છે. કાળજી રાખવામાં આવશે તો ગોટાળો નહીં થાય. સરકારે સહકાર આપી મગફળીની ખરીદી શરૂ કરવી જોઇએ. સરકારને સહકાર આપી મામલતદારોએ ખરીદી શરૂ કરવી જોઇએ. 30 કિલો એક ગુણી ખરીદવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં છે.
વધુમાં તેમણે કહ્યું કે રાજ્યમાં કોઇ કારણસર ખેડૂતોની મગફળી યોગ્ય ગતિથી નથી ખરીદાઇ રહી. ઝડપથી ખરીદી થાય તેવું હું કહેવા ઇચ્છું છું. જે ઝડપથી મગફળી ખરીદાવી જોઇએ તે ઝડપથી મગફળીની ખરીદી થતી નથી. ખેડૂતોની મગફળી સમયસર ખરીદાય તે પ્રકારે કાર્યવાહી કરાશે. અધિકારીઓ બહિષ્કારથી દૂર રહે. ગુજકોમાસોલ ખેડૂતોના હિત સાચવવામાં ક્યારે પાછળ રહ્યું નથી.