દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ગુમામ અલીપુરામાં રહેનારા ભાજપના નેતાની વહૂએ તમામ નિયમોના પાલન સાથે ઘરે જન્મદિવસની પાર્ટી કરી. ભાજપના નેતાની વહૂ કોરોના પોઝિટિવ હોવાના કારણે ઘરમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરાયું અને જ્યારે વાત મળી ત્યારે તંત્રની ઊંઘ ઉડી ગઈ. તંત્રએ પાર્ટીમાં આવેલા તમામ 25 લોકો પર એફઆઈઆર નોંધી છે.
ભાજપના નેતાની વહૂએ કરી પાર્ટી
ઘરમાં બર્થડે પાર્ટી યોજી 25 લોકોને બોલાવ્યા
વહૂ કોરોના પોઝિટિવ આવતા તમામને કરાયા ક્વૉરન્ટાઈન
કોરોના વાયરસના ચેપને પહોંચી વળવાનાં લક્ષ્ય સાથે સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. તે જ સમયે, સરકારે સંવેદનશીલ સ્થળોને હૉટસ્પોટ તરીકે જાહેર કર્યા છે અને લોકોના ઘરોમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હૉટસ્પોટમાં બહરાઈચના ગુલામ અલીપુરા વિસ્તાર પણ છે.
તમામ 25 લોકોને ક્વૉરન્ટાઈન કરાયા
જિલ્લા વહીવટ, સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપનારા તમામની ઓળખ કરી અને તેમને ક્વૉરન્ટાઈન સેન્ટર મોકલ્યા છે. હવે જન્મદિવસમાં ભાગ લેનારા તમામ 25 લોકોએ આગામી 14 દિવસ સુધી આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ જુદા જુદા રહેવું પડશે. બીજી તરફ પોલીસે લૉકડાઉન વચ્ચે પાર્ટી ગોઠવવા અને ચેપ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે.
FIRમાં અપાયું છે આ કારણ
એફઆઈઆરમાં પોલીસે કાયદા અને લૉકડાઉન ઉલ્લંઘન હેઠળ આરોપ મૂક્યો છે કે કોરોના પોઝિટિવ મહિલાએ તમામ 25 લોકોને આરોપી બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતાની પુત્રવધૂ થોડા દિવસો પહેલા સારવાર કરાવી દિલ્હીથી પરત આવી હતી. શંકાસ્પદ હોવાને કારણે તેની કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ મળી આવી છે.
આ કેસમાં, પોલીસ અધિક્ષક વિપિન મિશ્રાએ જણાવ્યું હતું કે હનુમાનપુરી કોલોનીમાં પોઝિટિવ મહિલા મુસાફરી કરીને આવી છે અને પરવાનગી લીધા વિના પાર્ટી કરે છે તેવા કિસ્સામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમાં કોરોનાથી અસરગ્રસ્ત મહિલા સહિત 25 લોકો સામે રોગચાળાના કાયદા અને લૉકડાઉન ઉલ્લંઘનની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.