ગુજરાતમાં ભાજપના નેતાનો ફરીથી બફાટ સામે આવ્યો છે ભવાન ભરવાડ દ્વારા મીડિયાકર્મીઓનું અપમાન કર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
મીડિયા કર્મીઓ સાથે દુર્વ્યવહાર
મીડિયા કર્મીને કહ્યું '' ચલો નીકળો બહાર''
શું ભવાન ભરવાડે આ મજાકમાં કહ્યું?
ગુજરાતમાં ઘણીવાર નેતાઓ બફાટ કરતા જોવા મળે છે આ વખતે પણ બફાટ કરવા માટે કુખ્યાતે ભાજપના નેતા ભવાન ભરવાડે મીડિયાકર્મી સાાથે દુર્વ્યવહાર કર્યો હતો. શિક્ષણ વિશે સવાલ પૂછાતા જ નેતા છંછેડાઈ ગયા હતા. અને મીડિયા કર્મીને ચલો નીકળો બહાર એવું કહી દીધું હતું જો કે તેમણે આ મજાકમાં કહ્યું કે ગંભીરતાથી તે એક પ્રશ્ન છે.
કોણ છે ભવાન ભરવાડ ?
1974માં ભવાન ભરવાડ પહેલા અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા.
2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા. ભવાન ભરવાડે 1987માં ખાખીની નોકરી છોડી દઈને કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
2007માં તેઓ ભાજપનાં કિરીટસિંહ રાણા સામે વિધાનસભાની ચૂંટણી હાર્યા
વર્ષ 2002માં સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી તેઓ કોંગ્રેસની ટીકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ 2007માં તેઓ ભાજપનાં કિરીટસિંહ રાણા સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયાં હતાં.
નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો
3 જાન્યુઆરી 2012માં ભવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાવા પાછળ એવું કહેવાય છે કે, ભરવાડ અને રબારી સમાજને ભાજપ સાથે લાવવા માટે તેમ જ અમદાવાદ ગ્રામ્યમાં ભવાનની પકડ હોવાનાં કારણે આ વિસ્તારોનાં લોકો પણ ભાજપ સાથે આવે એ હેતુથી તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.