વિવાદ વધુ વકરતા કાનાબારે ફરી ટ્વીટ કરી કહ્યું રાષ્ટ્રવાદની વિચારધારા નસ નસમાં છે એટલે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ “ક” કમળનો “ક” જ બોલાય જાય
દેશની શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ભાજપ નેતા ભરત કાનાબારે કાઢ્યો બળાપો
"શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ"
દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપ નેતા ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા છે.ભાજપ આગેવાન ડૉ.ભરત કાનાબારે ટ્વિટ કરી બળાપો કાઢ્યો હતો.ભરત કાનાબારે કહ્યું કે, 'ક' કમળનો 'ક' તો બરાબર ઘુટ્યો પણ 'ક્ષ' શિક્ષણનો 'ક્ષ' કોઈએ ભણાવ્યો જ નહીં.દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચુક્યું છે.શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ છે.ભરત કાનાબાર ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે.
તો ભાજપના નેતા ભરત કાનાબારના ટ્વીટ પર કેજરીવાલે ટ્વીટ કર્યું છે.ધોરણ 10ના પેપર ગેરરીતિ મામલે અરવિંદ કેજરીવાલનું ટ્વીટ કરી કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સારી નથી.ભાજપના 25 વર્ષના શાસનમાં શિક્ષણની સ્થિતિ ખરાબ થઇ.આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં શિક્ષણ સુધારશે.
भाजपा के लोग भी गुजरात की चरमराती शिक्षा पर प्रश्न उठा रहे। पार्टी लाइन से ऊपर उठकर गुजरात में अच्छी शिक्षा के लिए आवाज़ उठने लगी है। 27 साल में भाजपा अच्छी शिक्षा नहीं दे पायी। गुजरात के लोगों और सभी पार्टियों को साथ लेकर “आप” सरकार गुजरात में भी दिल्ली की तरह अच्छी शिक्षा देगी https://t.co/v9G4OhKcbh
આ મુદ્દે કોંગ્રેસ કે AAP વાળાએ હરખાવા જેવુ નથી-કાનાબાર
અમરેલી ભાજપ આગેવાન ડૉ.ભરત કાનાબારે ફરી ટ્વીટ કરી કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું છે. અને વાતનો ફોડ પાડતા કહ્યું છે કે મારી ટ્વીટમાં આપેલ ફોટોગ્રાફ બિહારનો છે,મૂળ મુદ્દો શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશેલી બંદીઓ અંગેનો છે. આ મુદ્દે કોંગ્રેસ કે AAP વાળાએ હરખાવા જેવુ નથી. 35 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને રાષ્ટ્રવાદની વિચારધારા નસ-નસમાં છે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ “ક” કમળનો “ક” જ બોલાઇ જાય. મહત્વનું છે કે કેજરીવાલે ભરત કાનાબારે કરેલું ટ્વીટ રી ટ્વીટ કરતાં મામલો વધુ બીચકાયો હતો જે બાદ કાનાબારે પણ વળતો જવાબ આપી વિવાદના વંટોળને શાંત પાડવાના પ્રયાસ કર્યો છે. ભરત કાનાબારે ગુજરાત શિક્ષણનો ઉલ્લેખ અગાઉના ટ્વીટમાં કરાયો નથી તેવી ચોખવટ કરી જૂનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.
મારી ટવીટમાં આપેલ ફોટોગ્રાફ બિહારનો છે. મૂળ મુદ્દો શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશેલ બદીઓ અંગેનો છે.
આમાં કોંગ્રેસ કે આપ વાળા હરખાવા જેવું કઈં નથી.
૩૫ વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને રાષ્ટ્રવાદની વિચારધારા નસ નસમાં છે એટલે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ “ક” કમળનો “ક” જ બોલાય જાય.
શિક્ષણ મુદ્દે પહેલા થી જ AAP ભાજપ આમને સામને
થોડા દિવસ પહેલા જ ગુજરાતની શિક્ષણનીતિ સામે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વીટર વોર છેડ્યુ છે.દિલ્લીના શિક્ષણ મોડેલનો વિરોધ થતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પડકાર અને લલકારનો દૌર શરૂ થયો.દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચર્ચા માટે ચેલેન્જ કરી, સાથેજ સમય અને સ્થાન નક્કી કરવા પણ પડકાર ફેંક્યો.બીજી તરફ વાઘાણીએ સમગ્ર મામલે વળતો જવાબ આપ્યો અને કહ્યુ કે ગુજરાતમાં સારું શિક્ષણ ના હોત તો ભાજપ વિજેતા ના બન્યુ હોત અને ટોણો મારતા કહ્યું હતું કે ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે અન્ય રાજ્યમાં જઈ શિક્ષણ લઈ શકે છે તેમજ આપ પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ નિવેદન કરી રહ્યા છે.હવે સવાલ એ છે કે ગુજરાતના શિક્ષણ પર કેમ સવાલ ઉઠાવે છે આમ આદમી પાર્ટી?..શું ગુજરાતના શિક્ષણ અને શિક્ષણનીતિમાં કોઈ કમી છે?.શું દિલ્લી મોડેલ અને ગુજરાત મોડેલ અલગ અલગ છે.?