કોરોના વાયરસ / 'કોરોના થશે તો મમતા બેનર્જીને ગળે લગાવીશ', કહેનારા ભાજપના આ નેતા થયા કોરોના પોઝિટિવ

BJP leader anupam hazra statement Mamata Banerjee Covid 19

પશ્ચિમ બંગાળના નવા નિમાયેલા રાષ્ટ્રિય સચિવ અને પૂર્વ સાંસદ અનુપમ હાજરાએ થોડા દિવસો પહેલા વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જો તેઓ કોરોના વાયરસ પોઝિટિવ આવશે તો તેઓ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાના ગળે લગાવીશ. હાજરાના આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસે તેમના પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે અનુપમ હાજરા કોરોના પોઝિટિવ આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ