પશ્ચિમ બંગાળના નવા નિમાયેલા રાષ્ટ્રિય સચિવ અને પૂર્વ સાંસદ અનુપમ હાજરાએ થોડા દિવસો પહેલા વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જો તેઓ કોરોના વાયરસ પોઝિટિવ આવશે તો તેઓ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાના ગળે લગાવીશ. હાજરાના આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસે તેમના પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે અનુપમ હાજરા કોરોના પોઝિટિવ આવ્યા છે.
મમતા બેનરજી અંગે વિવાદિત નિવેદન આપનારા હાજરાને કોરોના
હાલ અનુપમ હાઝરાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
કોરોનાથી સંક્રમિત થયેલા અનુપમ હાઝરા છે પ. બંગાળ ભાજપના નેતા
અનુપમ હાજરાએ સોશિયલ મીડિયા દ્વારા શુક્રવારે માહિતી આપી કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, તેઓ કોલકાતાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત સ્થિર છે.
વિવાદિત નિવેદન આપનારા ભાજપના નેતા કોરોના પોઝિટિવ
અનુપમ હાઝરાને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવાયા બાદ તેઓ હાજરા જિલ્લા કાર્યકારિણીની બેઠકમાં દક્ષિણ 24 પરગના બરૂઈપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, જો કોઇ દિવસ મને કોરોના થશે તો હું મમતા બેનરજીને ગળે લગાવીશ. ત્યારે તેઓ લોકોના દર્દને સમજશે જે લોકોએ કોરોના મહામારીને લઇને પોતાના ગુમાવ્યા છે. જોકે મમતા બેનરજી અંગે વિવાદિત નિવેદન બાદ હાઝરા સામે ફરિયાદ થઈ હતી.