બીજેપી નેતા અનિલ સિંહે આરોપ લગાવ્યો કે ચલણ કાપ્યા બાદ પણ પોલીસે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. સૂચના પર બીજેપીનાં નગરપાલિકા અધ્યક્ષ સહિત અન્ય પાર્ટી નેતા મોકા પર પહોંચી ગયા. બીજેપી નેતા દુર્વ્યવહાર પર કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. એસપી અવધેશ પાંડેનાં સમજાવવા પર અનિલ સિંહ ધરણા પરથી ઉઠ્યા. બીજેપીનાં પૂર્વ જિલ્લાધ્યક્ષ અનિલ સિંહ બાઇક દ્વારા ભટૌલી જઇ રહ્યાં હતાં.
મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુર જિલ્લામાં ચલણ કાપ્યા બાદ પોલીસનાં કથિત દુર્વ્યવહાર વિરૂદ્ધ રવિવારનાં રોજ બીજેપી (BJP) નાં પૂર્વ જિલ્લાધ્યક્ષ અને કાશી ક્ષેત્રનાં મંત્રી અનિલ સિંહ (anil singh) ધરણાં પર બેસી ગયા. મોકા પર પહોંચેલ એસપી અવધેશ પાંડેની સામે અનિલ સિંહ જોરશોરથી રોવા લાગ્યા અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં. એટલું જ નહીં અનિલ સિંહ એસપી અવધેશ પાંડેનાં પગમાં પડી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.
બીજેપી નેતા અનિલ સિંહે આરોપ લગાવ્યો કે ચલણ કાપ્યા બાદ પણ પોલીસે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. સૂચના પર બીજેપીનાં નગરપાલિકા અધ્યક્ષ સહિત અન્ય પાર્ટી નેતા મોકા પર પહોંચી ગયા. બીજેપી નેતા દુર્વ્યવહાર પર કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. એસપી અવધેશ પાંડેનાં સમજાવવા પર અનિલ સિંહ ધરણા પરથી ઉઠ્યા. બીજેપીનાં પૂર્વ જિલ્લાધ્યક્ષ અનિલ સિંહ બાઇક દ્વારા ભટૌલી જઇ રહ્યાં હતાં.
Mirzapur: BJP leader Anil Singh sat on a 'dharna' alleging police misbehaved with him. ASP R Pandey says,'He was fined as he wasn't wearing helmet & didn't have documents. We also tried to explain things to him, he didn't listen, was threatening police as well.' (07-07) pic.twitter.com/5V0U9Vt1N8
એવામાં રસ્તામાં એએસપી સિટી પ્રકાશ સ્વરૂપ પાંડે, સીઓ સિટી સુધીર કુમાર અને મહિલા પોલીસ સ્ટેશનની ફોર્સ વાહન ચેકિંગ કરી રહી હતી. દોમુહિયાની પાસે પોલીસે અનિલ સિંહનાં બાઇકને રોકી લીધી. હેલ્મેટ ન લગાવવા પર ચલણ કાપ્યા બાદ અનિલ સિંહ અને એસએસપી સિટી પ્રકાશ સ્વરૂપ પાંડેમાં થોડી બોલાચાલી થઇ ગઇ. અનિલ સિંહ પોલીસ પર દુર્વ્યવહારનો આરોપ લગાવતા ત્યાં જ તેઓ ધરણાં પર બેસી ગયા.
એસપીને જોતા અનિલ સિંહ જોરશોરથી રોવા લાગ્યાં:
સૂચના પર બીજેપી નેતાઓનો મેળાવડો લાગ્યો. એસપી અવધેશ પાંડે પણ મોકા પર પહોંચ્યા. એસપીને જોઇને અનિલ સિંહ જોરશોરથી રોવા લાગ્યા અને તેમનાં પગોમાં પડી ગયા. અનિલ સિંહે ચેકિંગ કરવાની વાત કહેવા પર તેઓએ દુર્વ્યવહાર કર્યો. બીજી બાજુ આ સંબંધ એએસપી સિટી પ્રકાશે જણાવ્યું કે, દુર્ઘટનાઓને રોકવા માટે વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજેપી નેતા અનિલ સિંહની સાથે કોઇ દુર્વ્યવહાર નથી કરવામાં આવ્યો. હેલ્મેટ ન હોવા પર તેમનું ચલણ આપવામાં આવ્યું.