આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પોતાનું શક્તિ પ્રદર્શન કરશે,બનાસકાંઠાના ભાભર ખાતેથી શક્તિ પ્રદર્શનની શરૂઆત કરી પોતાના સમર્થકો સાથે પદયાત્રા કરશે
અલ્પેશ ઠાકોર આજે કરશે શક્તિ પ્રદર્શન
બનાસકાંઠાના ભાભરમાં કરશે શક્તિ પ્રદર્શન
પક્ષમાં તાકાત દર્શાવવાનો નેતાઓનો પ્રયાસ
આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પોતાનું શક્તિ પ્રદર્શન કરશે, તેઓ બનાસકાંઠાના ભાભર ખાતેથી શક્તિ પ્રદર્શનની શરૂઆત કરી પોતાના સમર્થકો સાથે પદયાત્રા કરશે. ભાભરથી ટોટાણા સદારામ ધામ સુધી યોજાનાર અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.
અલ્પેશ ઠાકોર આજે કરશે શક્તિ પ્રદર્શન
મહત્વનું છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે સાબરકાંઠા ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે. ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. ધારાસભ્યોનું નક્કી ઉપરથી થાય છે. હું કોઈને કાપી શકુ નહી હું કોઈને આપી શકુ નહીં. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે. ટિકિટ આપતા પહેલા 5થી 6 સર્વે કરાવાયા છે. ત્યારે હવે પાટીલના 100 જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ નો-રિપિટ થિયરી 2022માં પણ લાગુ થાય તેવી ચર્ચાઓ વચ્ચે આજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
બનાસકાંઠાના ભાભરમાં કરશે શક્તિ પ્રદર્શન
અહી ઉલ્લેખનિય છે કે ભાજપ અધ્યક્ષના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો જે બાદ સી.આર.પાટીલે સ્પષ્ટતા પણ કરી હતી. પાટીલે કહ્યું કે, જ્યા વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચેહરા શોધીશું. 70 નથી એ નવા ચહેરા હશે. હાલના ધારાસભ્યોમાંથી કેટલાક નિવૃત થશે આવા સંજોગોમાં મેં કહ્યું હતું 100 નવા ચહેરા હશે. 112 ધારાસભ્યોમાંથી નિવૃત થતા હશે ત્યા પણ નવા ચેહરા શોધીશું. સંપૂર્ણ નો રિપિટની કોઈપણ વાત નથી. જે કાર્યકરને લોકો સ્વિકારશે તેને ટિકિટ મળશે. ભાજપના તમામ કાર્યકરોમાંથી કોઈને પણ ટીકીટ મળી શકે.
પક્ષમાં તાકાત દર્શાવવાનો નેતાઓનો પ્રયાસ
અહીં કહી શકાય કે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદનથી ભાજપ નેતાઓમાં ડર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે રાધનપુરથી પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની હાર થઇ હતી, જે બાદ અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ કપાય તેવો ડર લાગી રહ્યો છે ત્યારે તે શક્તિ પ્રદર્શનથી પક્ષમાં તાકાત દર્શાવવાનો પ્રયાસ કરશે, અલ્પેશ ઠાકોર સાથે ઠાકોર સમાજના સમર્થકો પણ તેની સાથે શક્તિ પ્રદર્શન અને પદયાત્રામાં જોડાય તેવું લાગી રહ્યું છે.