ન્યૂ દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ 2019ની તૈયારીઓને લઇને કહ્યું કે, બીજેપી થીમ સોંગ લોન્ચ કરવા જઇ રહેલ છે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભાજપની પ્રથમ થીમ હશે-કામ કરવાવાળી સરકાર, બીજી થીમ-ઇમાનદાર સરકાર અને ત્રીજી થીમ હશે- મોટાં નિર્ણય લેનારી સરકાર. બીજેપીએ 2019 માટે સૂત્ર આપ્યું કે, 'ફિર એક બાર મોદી સરકાર.'
કોંગ્રેસનાં મેનિફેસ્ટો પર કર્યો હુમલોઃ
કોંગ્રેસે 72 વર્ષોમાં કંઇ જ નથી કર્યું, અમે પાંત વર્ષોમાં સતત કામ કર્યું.
વિપક્ષ નબળી સરકાર ઇચ્છે છે.
હેરાનીની વાત એ છે કે કોંગ્રેસનાં ઘોષણાપત્રમાં ઉભરતા મિડલ ક્લાસને માટે કંઇ જ નથી.
તેઓનાં વિદેશથી આવેલાં સલાહકાર તો કહી રહ્યાં છે કે હજી વધુ ટેક્સ લગાવવો જોઇએ.
અમે 5 વર્ષમાં એક પણ વાર ટેક્સ નથી વધાર્યો. અમારી સરકારની મોટી ઉપલબ્ધિઓ મધ્યમ વર્ગ માટે છે.
દેશને નક્કી કરવાનું છે કે મજબૂત સરકાર જોઇએ કે મજબૂર.
ઉલ્લેખનીય છે કે બીજી બાજુ કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણી 2019ને માટે પોતાનો ચૂંટણી નારો રજૂ કરી દીધો છે. આને કોંગ્રેસે હવે 'અબ ન્યાય હોગા' નામ આપ્યું છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસનો પ્રચાર અભિયાન 'ન્યાય'નાં ઇર્દ-ગિર્દ રહેશે. તેઓએ કહ્યું કે, આ શબ્દ પણ તમામની સાથે ન્યાયનો વાયદો કરે છે. આ કોંગ્રેસનાં પ્રચાર અભિયાનનું થીમ ગીત જાવેદ અખ્તરે લખ્યું છે કે, વીડિયો નિખિલ અડવાણીએ પ્રસ્તુત કરેલ છે.
કોંગ્રેસ સૂત્રોનાં અનુસાર, આ ગીત પાર્ટીની 'ન્યાય' યોજનાને દર્શાવવા માટે બનાવેલ છે. ગીતમાં જરૂરી ફેરફાર પણ કરી દેવામાં આવ્યાં છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટી તરફથી પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા આ ગીતમાં મોદી સરકારનાં કાર્યકાળ અને સરકારની નીતિઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી.
ચૂંટણી આયોગે આ ગીતનાં એક અંતરાને ખૂબ જ આપત્તિજનક ગણાવ્યો હતો જેથી બાદમાં તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું. કોંગ્રેસે ચૂંટણી આયોગ દ્વારા દર્શાવવામાં આવેલ આપત્તિ અનુસાર સુધાર કરીને તેને બીજી વાર એમસીએમસીની પાસે મોકલ્યું. ત્યાર બાદ આયોગે આ ચૂંટણી અભિયાન પ્રચાર ગીતને લીલી ઝંડી આપી દીધી છે.