લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ચુંટણી મામલે રણનીતિ આરંભ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ભાજપ દ્વારા લોકો સુધી પહોંચવાનું અભિયાન સતેજ કરી દીધું છે. જેના ભાગ રૂપે ભાજપ દ્વારા 'ભારત કે મન કી બાત મોદી કે સાથ' કાર્યક્રમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન રાજનાથસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.
હવે તેને સમગ્ર દેશમાં પણ શરુ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના કાર્યક્રમની રૂપરેખા આપતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ આવતીકાલે CM વિજય રૂપાણી અને જીતુ વાઘાણી 'ભારત કે મન કી બાત મોદી કે સાથ' કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
સાથે સાથે 2019નાં લોકસભા સંકલ્પ પત્ર બનાવ માટે તમામ લોકસભામાં સૂચન પેટી મુકાશે. સૂચન પેટીના માધ્યમથી ભાજપ લોકસભામાં સંકલ્પ પત્રને લોકમનને જાણવા સૂચનો મેળશે. અને ટોલ ફ્રી નંબર મારફત સૂચનો મેળવવાશે અને ટોલ ફ્રી અંતર્ગત આવેલા સૂચનો સીધા PM મોદીને મળશે. આ સૂચનો આધારે ભાજપ સરકાર આગામી લોકસભામાં માટે સંકલ્પ પત્ર તૈયાર કરશે.