ભારતીય જનતા પાર્ટીએ કોવિડ-19 મહામારીના પ્રબંધનને લઇને કોંગ્રેસની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે ગાંધી પરિવારનો ઘમંડ દેખાઇ રહ્યો છે.
કોરોનાકાળમાં ભાજપ કોંગ્રેસ સામસામે
સંબિત પાત્રાએ ગાંધી પરિવાર પર કર્યા આક્ષેપ
ગાંધી પરિવાર પર લગાવ્યા આકરા આક્ષેપ
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે કહ્યું કે વિપક્ષી પાર્ટીને જ્યારે સંકટની આ ઘડીમાં જવાબદારીપૂર્વક વ્યવહાર કરવો જોઇએ ત્યારે તે ભ્રામક સમાચાર પ્રસારિત કરવાનુ અને ભયનુ વાતાવરણ ઉભુ કરવાનુ કામ કરી રહ્યાં છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે આ વ્યક્તિ પોતાની પાર્ટી માટે માથાનો દુઃખાવો બની ગયો છે. હવે તે ટીકા ઉત્પાદક કંપનીઓમાંથી એક નિશાન બનેલુ રહે. શરમ આવવી જોઇએ તમને.
રાહુલ ગાંધીએ આ પહેલા વેક્સિનેશનને લઇને ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતુ કે દેશ વિપદામાં પ્રધાનમંત્રી મોદીના મિત્રોને અવસર મળી ગયો છે. તેણે સરકારની ટિકાની રણનીતિની તુલના નોટબંધી સાથે કરી અને દાવો કર્યો કે તેનાથી ઉદ્યોગપતિઓને ફાયદો થયો અને સામાન્ય માણસને તકલીફ ઉઠાવવી પડી હતી.
રાહુલ ગાંધી પર પલટવાર કરતા પાત્રાએ પૂછ્યુ કે ગાંધી પરિવાર કેમ ઉદ્યમશીલ ભારતીયોથી ઘૃણા કેમ કરે છે. સંકટની ઘડીમાં પ્રાઇવેટ સેક્ટરની ભૂમિકાની સરાહના કરતા કહ્યું કે તેમના કારણે દેશમાં આજે વેક્સિન ઉપલબ્ધ થઇ છે. આજે કોવિડ19ની તપાસ પ્રાઇવેટ સેક્ટરના કારણે છે.
ભારતમાં કોરોના કહેર
ભારતમાં કોરોનાની બીજી લહેરના વિકરાળ રુપનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે દેશમાં સંક્રમણના આંકડાએ સમગ્ર દુનિયાના રેકોર્ડ તોડી નાંખ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર બુધવારે રાતે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં 3, 15, 478 નવા કેસ મળ્યા છે. મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા દુનિયાના સૌથી વધારે આંકડા છે. આ માટે વિશ્વમાં એક દિવસમાં સૌથી વધારે નવા સંક્રમિત મળવાનો રેકોર્ડ અમેરિકાનો હતો.
24 કલાકમાં કુલ 2101 કોરોનાના દર્દીઓએ શ્વાસ છોડ્યો
અમેરિકામાં 8 જાન્યુઆરી 2021ના રોજ 3, 07, 570 નવા કેસ મળ્યા હતા. પરંતુ હવે આ મામલામાં ભારત સૌથી આગળ નિકળી ગયું છે. સતત 6 દિવસથી રોજ થનારા મોતની સંખ્યામાં રેકોર્ડ તોડી રહ્યું છે. 24 કલાકમાં કુલ 2101 કોરોનાના દર્દીઓએ શ્વાસ છોડ્યો છે. આ સાથે દેશમાં મરનારાઓની કુલ સંખ્યા 1, 84, 672 થઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 1, 59, 24, 732 થઈ ગઈ છે. દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 22, 84, 209 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 14.3 ટકા છે.
સાજા થનારાનો દર 85 ટકાથી નીચે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ્ય થવાનો દર ઘટીને 84.5 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1,34, 47, 040 થઈ ગઈ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટી 1.20 ટકા થઈ ગઈ છે. પરંતુ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.