આમ તો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ફલક પર દેશને 'કોંગ્રેસ મુક્ત' બનાવવાનો નારો આપે છે. પરંતુ બીજી તરફ પ.બંગાળમાં કોંગ્રેસ નેતાના પક્ષમાં ટીએમસી સરકારનો વિરોધ કરી રહી છે. તેને પ.બંગાળમાં બીજેપીની નવી રણનીતિનો નવો ભાગ જ માનીશું કે, કોંગ્રેસના પ્રવક્તાની ધરપકડ વિરુદ્ધ તેમના સમર્થનમાં ઉતરી છે.
પશ્ચિમ બંગાળમાં બીજેપી કોંગ્રેસના પ્રવક્તાની ધરપકડ વિરુદ્ધ તેમના સમર્થનમાં ઉતરી
બીજેપી પ્રદેશ અધ્યક્ષની મમતા બેનર્જી સરકારને કોંગ્રેસ નેતા સેનને મુક્ત કરવાની માંગ
શુક્રવારે જ બીજેપી નેતાઓની એક ટીમે કોંગ્રેસ પ્રવક્તા સનમોય બેનર્જીના ઘર બોલપુર સ્થિત અગરપાડા પહોંચી અને પોતાનુ સમર્થન આપવાની વાત કહી. 'ધ ટેલિગ્રાફ'ની રિપોર્ટ મુજબ કોંગ્રેસ પ્રવક્તા બેનર્જીની સોશિયલ મીડિયા પર પ.બંગાળ સરકાર અને પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી લખવા પર ધરપકડ કરાઇ હતી.
બીજેપીએ તેને લોકતંત્ર પર કુઠારાઘાત બતાવ્યો અને પાર્ટીના નેતા તેમના ઘરે જઇને આ મુદ્દા પર સાથ આપવાની વાત કહી. પ.બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે ટેલિગ્રાફને બતાવ્યું, 'અમે અમારા નેતાઓને સનમોય બેનર્જીના ઘરે એકતા દર્શાવવા માટે મોકલ્યા હતા. કેમકે તે તૃણમૂલ સરકારની અસહિષ્ણુતાથી પીડિત છે. જો સનમોયની ધરપકડ કરવામાં આવી શકે છે તો, સરકારની આલોચના કરવા પર કોઇની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.'
બીજેપી પ્રદેશ અધ્યક્ષે મમતા સરકારથી જલ્દી જ કોંગ્રેસ નેતા સેનને મુક્ત કરવાની માંગ કરી. બીજેપી નેતાઓના સનમોય બેનર્જીના ઘરે જવા પર તૃણમૂલ કોંગ્રેસે પણ આક્રમક હુમલો બોલ્યો. પાર્ટીનું કહેવું છે કે બીજેપી અને કોંગ્રેસ બંને મળીને પ્રદેશ સરકારની છબિને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. નોંધનીય છે કે, સનમોય બેનર્જી ચાર વારના પાનીહાટીથી કાઉન્સિલર રહી ચૂક્યા છે અને 2016માં એમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.