કર્ણાટકની રાજનીતિમાં ભાજપને માત્ર ચઢાવ-ઉતારથી ફાયદો છે પરંતુ ખુદ ગઠબંધનની સરકારમાં અસ્થિરતાની આશા લગાવી બેઠી છે. JDS અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર તોડી પાડવાની પોતાની ડેડલાઇન સુધી અસરફળ રહેલ BJP આજ સુધી પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નથી. જો કે આજે પણ તે આ ગઠબંધનમાં હલચલ ઉભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
ભાજપના કેટલાક મોટા નેતાઓ આજે પણ અસ્થિરતા મામલે મોટી આશા રાખીને બેઠાં છે. ત્યારે આ તરફ કોંગ્રેસ પણ પાર્ટીની કેટલીક સમસ્યાને લઇને સતત ચિંતીત છે.
એન્ટી-લિંગાયત અને એન્ટી-નોર્થ કર્ણાટક છબી
કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય પણ JDS અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર લિંગાયત વિરોધી અને ઉત્તરી કર્ણાટક વિરોધી છબિ ધરાવે છે. જો કે કુમારસ્વામીએ બેલગાવીને રાજ્યનું બીજું પાટનગર બનાવવા અને સુવર્ણ વિધાન સૌંધ(કર્ણાટકની વિધાનસભા)ને પૂર્ણ રીતે કાર્યાન્વિત કરવાનું આશ્વાસન આપેલ છે.
ગૌડા પરિવારની દખલગીરી
કેટલાય કોંગ્રેસી મંત્રી અને ધારાસભ્યો એ વાતથી નારાજ છે કે દેવગૌડા પરિવારના હાથમાં વધારે નિયંત્રણ છે અને આ રીતે PWD મંત્રી HD રેવના પણ અન્ય વિભાગોમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. તો ગૌડા પરિવારની આ દખલગીરીને લઇને પણ કર્ણાટકની સરકાર પડવાની શક્યતા વધારે છે.
મંત્રીપદ મામલે ઝઘડો
કર્ણાટક સરકારનું ગઠબંધન થતાં જ શરૂઆતથી જ JDS અને કોંગ્રેસના મંત્રપદ માટે મતભેદ ચાલ્યા કરે છે. આ સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને JDS ના દિગ્ગજ નેતાઓની દખલગીરી બાદ આ મામલો શાંત પડ્યો હતો. આ કારણ જ મુખ્ય છે કે કુમારસ્વામી સતત આરોપ લગાવતા રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આજે પણ કેટલાક નેતાઓને લોભામણી જાહેરાતો આપી રહ્યા છે.
કોંગ્રેસમાં બળવો
ભાજપના નેતાઓને ખાતરી છે કે કોંગ્રેસ બેલ્ગાકીમાં જર્ખિહાલી બ્રધર્સ અને જળ સંસાધન પ્રધાન ડી.કે. શિવાકુમાર વચ્ચે ચાલી રહેલી શીત યુદ્ધથી વિખરાઈ જશે અને સરકાર રચવાની સપના ચોક્કસપણે સાચી થઈ જશે. પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા અને ધારાસભ્ય નાગરાજ વચ્ચેના મતભેદોથી ભાજપને પણ મદદ મળી શકે છે.