દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ બીજેપી પર મોટો હુમલો બોલ્યો છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બીજેપી પર કોરોના વાયરસ મહામારીને લઇને 'ખરાબ રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બીજેપી પર મોટો હુમલો બોલ્યો
દિલ્હીના આનંદ વિહારથી લોકો વિવિધ રાજ્યોની બસમાં ઘરે જઇ રહ્યા છે
તેઓએ દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આરોપ લગાવી રહી છે કે લોકો દિલ્હી છોડીને એટલા માટે પલાયન કરી રહ્યા છે કેમકે આમ આદમી પાર્ટીની સરકારે તેમના વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે.
मुझे बहुत दुःख है कि कोरोना महामारी के बीच बीजेपी नेता टुच्ची राजनीति पर उतर आए है. @myogiadityanath जी की सरकार ने आरोप लगाया है कि @ArvindKejriwal जी ने बिजली पानी काट दिया इसलिए लोग दिल्ली से जा रहे हैं. यह गम्भीरता से एक होकर देश को, बचाने का समय है, घटिया राजनीति का नहीं.
સિસોદિયાની આ કડક પ્રતિક્રિયા એવા સમાચાર વચ્ચે આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે પ્રવાસી મજૂરોની મોટી સંખ્યા અલગ-અલગ રાજ્યોની બસોમાં સવાર થઇને આનંદ વિહાર પહોંચી છે.
'આ ખરાબ રાજનીતિ કરવાનો સમય નહીં'
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું, મને ખુબજ દુ:ખ છે કે કોરોના વાયરસ મહામારીની વચ્ચે બીજેપી નેતા 'ખરાબ રાજનીતિ' પર ઉતરી આવ્યા છે. યોગી આદિત્યનાથ જીની સરકારે આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ જીએ વીજળી-પાણીનું કનેક્શન કાપી નાંખ્યું અને તેથી લોકો દિલ્હીથી જઇ રહ્યા છે. આ ગંભીર રીતે એક થઇને દેશને બચાવવાનો સમય છે, ખરાબ રાજનીતિ કરવાનો નહીં.
'અસ્થાયી આવાસ અને ભોજન આપવું અમારી જવાબદારી'
મનીષ સિસોદિયાએ કહ્યું, આજે દિલ્હીની સીમા પર જે લોકો છે તે માત્ર દિલ્હી જ નથી, પરંતુ હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી આવેલા લોકો છે. જે પણ આ સમયે દિલ્હીમાં છે, તેમને અસ્થાયી આવાસ અને ભોજન આપવાની જવાબદારી અમારી છે, જેથી કોરોના વાયરસની વિરુદ્ધ પીએમ મોદી જીનું લૉકડાઉન સફળ થઇ શકે.