દિલ્હી: વિપક્ષ અને ગેર કોંગ્રેસી મોરચાઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રમતમાંથી હજી બહાર આવી શક્યા નથી ત્યાં તો ભારતની સૌથી મોટી પાર્ટી ભાજપા ચૂંટણી માટે લડી લેવાના મૂડમાં આવી ગયેલ છે.
પાર્ટી ફેબ્રુઆરી 2019 સુધીમાં રેલીઓ દ્વારા પોતાના પ્રભાવ વાળી 400 સીટ પોતાની ઝોળીમાં લેવા માસ્ટર પ્લાન ઘડી રહી છે. આ મુદ્દા અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત દેશના દિગ્ગજ નેતાઓ દેશભરમાં 50-50 રેલીઓ કરવાના છે.
રાજકીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર ચૂંટણી અંગેની અધિકારીક સૂચના જાહેર થાય તે પહેલા દેશની આશરે 400 બેઠકો પોતાના તરફી ખેંચી લેવાની રણનીતિ બનાવી છે. ફેબ્રઆરી 2019 સુધીમાં PM મોદી અમિત શાહ ગૃહમંત્રી રાજનાથ સિંહ ભારત સરકારના પરિવહન મંત્રી નિતિન ગડકરી દેશના વિવિધ ક્ષેત્રઓમાં 200 ચૂંટણી રેલીઓને સંબોધન કરવાના છે.
આપને જણાવી દઇએ કે આ ફોર્મ્યુલા અંગેની જાણકારી પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં યોજાયેલ તેમની પંજાબ ખાતેની રેલીમાં કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની 50 રેલી ચૂંટણીના રાજ્યો છત્તીસગઢ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખાસ રહેશે. આ 3 રાજ્યોમાં ભારતના વડાપ્રધાન આશરે દોઢ ડઢન રેલીઓને સંબોધન કરવાના છે.